ગુજરાતમાં સારો વરસાદ થવાને કારણે ખેડૂતોએ પણ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. આ વર્ષ ખેડૂતો માટે નઠારૂ પુરવાર થયું હતુ. ચોમાસું સારૂ રહ્યુ હતુ પરંતુ વધુ વરસાદને કારણે પાક બગડ્યો હતો. કમોસમી વરસાદે ખેડૂતોને હાલ બેહાલ કર્યા હતા એમાં તીડનો આતંક અને પછી કોરોનાને કારણે થયેલા લોકડાઉને ખેડૂતોની કમર તોડી નાંખી હતી પરંતુ આ સાલ ધાર્યા કરતા વહેલા ચોમાસું શરૂ થયુ હતુ ત્યારે ખેડૂતોએ પણ ફરીથી વર્ષ શરૂ થયું છે ત્યારે વાવણી શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં વરસાદ સાથે વાવણીની શરૂઆત
ડાંગરની 708 હેકટર વિસ્તારમાં વાવણી
બાજરીમાં 77 હેકટર જયારે મકાઈની 61 હેકટર વિસ્તારમાં વાવણી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાવણી લાયક વરસાદ પડતા, ગુજરાતમાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. ગુજરાતમાં બાજરીનું 77 હેકટરમાં અને મકાઈમાં 61 હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. 708 હેકટરામાં ડાંગર તેમજ 1 લાખ 11 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે.
સોયાબીનની 2,325 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. કપાસનુ 78 હજાર હેકટર વિસ્તારમાં અને 8,904 હેકટર વિસ્તાર શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વાવણી લાયક વરસાદ થઇ જતા કુલ અઢી ટકા વિસ્તારમા વાવેતર થઇ ગયું છે.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ છે. 14 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં પર સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઇ ગયો છે. સુરતના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસી રહી રહ્યો છે. સુરતના કીમ, ઓલપાડ, કુડસદ, પરિયા, કીમામલી સહિત અનેક ગામોમાં સવારથી મેધરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.