ખેડૂતો અતિવૃસ્ટીમાં પાક નુકસાની મુદ્દે સીએમ રૂપાણીને રજૂઆત કરશે. ખેડૂતોએ અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવાને લઇ વળતરની માગ કરી છે.
ખેડૂતો અતુવૃષ્ટિમાં પાક નુકશાની મુદે CMને કરશે રજુઆત
ખેડૂત અગ્રણી ભરતસિંહ સહિત ખેડૂતો પહોંચ્યા રજુઆત કરવા
અતિવૃષ્ટિ પાક નિષ્ફળ જતા વળતર આપવા માગ
ખેડૂતો અતિવૃસ્ટીમાં પાક નુકસાની મુદ્દે સીએમ રૂપાણીને રજૂઆત કરશે. ખેડૂત અગ્રણી ભરતસિંહ સહિતના ખેડૂતો સીએમને રજૂઆત કરવા પહોંચ્યા છે. જેમાં ખેડૂતોએ અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવાને લઇ વળતરની માગ કરી છે.31 ઓગસ્ટ સુધી ખેડૂતોના દેવા માફ કરવા માટે પણ માગ કરી છે. ખેડૂતોએ કહ્યુ કે સરકારનું 48 કલાકમાં 25 ઇંચ વરસાદનું માપદંડ ખોટું છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કરી માંગ
રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખરાબ થઇ રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભારે વરસાદને લઇ અસરગ્રસ્ત લોકોને મદદ કરવાની માગ કરી છે. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર અસરગ્રસ્તોને કેશડોલ આપે. સતત વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકને નુકસાન થયું છે. ત્યારે જલ્દી આ નુકસાનીનો સર્વે કરવામાં આવે અને સરકાર ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરે.
સુરતના સણીયા હેમાડ ગામમાં લોકો રસ્તા પર ઉતર્યા
સુરતના સણીયા હેમાડ ગામમાં લોકો રસ્તા પર ઉતર્યા છે. પાણીનો ભરાવો થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાતા ખેતીમાં મોટું નુકસાન થયું છે. સણીયા હેમાડ ગામ પાલિકામાં નવો સમાવિષ્ટ વિસ્તાર છે. રિંગરોડને લીધે ખેતરમાં પાણીનો ભરાવો થયો છે. ગામલોકોએ રિંગરોડનો કામ બંધ કર્યું છે
ખેતરોમાં રહેલો પાક પાણી ભરાવાના કારણે બળી ગયો
પોરબંદરના કુતિયાણાના ઘેડ વિસ્તારમાં ભાદરના પાણી ફરી વળ્યાં છે. ઘેડ વિસ્તારના લોકો માટે ભાદર નદી આફતરૂપ બની છે. મકાન અને ખતેરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન પહોંચ્યું છે.
રાજકોટમાં વરસાદ બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરોમાં રહેલો પાક પાણી ભરાવાના કારણે બળી ગયો છે. ઈશ્વરીયા ગામે વરસાદથી મગફળી, મકાઈ, કપાસ, તલના પાકને નુકસાન થયું છે.
જૂનાગઢમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયા છે. જૂનાગઢના ઓઝત વિયર સાબલી ડેમ ઓવરફ્લો થતા તેમાથી પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ ઘેડ પંછક બેટમાં ફેરવાઇ ગયા છે. અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું છે. બાલાગામ ઘેડમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અને અનેક ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે પાકને નુકસાન થયું છે. ત્યારે હાલ તંત્ર દ્વારા નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.