ગુજરાતમાં વરસાદને લઈને અંબલાલ પટેલેની આગાહી જેમાં તેમણે 4 સપ્ટેમ્બરે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. આવો જોઈએ તેમણે બીજુ શું કહ્યું?
વરસાદ અંગે કેવી છે આગાહી?
કયા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી
ગુજરાતમાં ચોમાસું ભરપૂર જામ્યું છે. શ્રાવણના શ્રીકાર બાદ હવે ભાદરની રેલ શરૂ થઈ છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે જેમાં તેમણે 4 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે અને વરસાદને કારણે નદી નાડા છલકાઈને પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી પણ સંભાવના દર્શાવી છે.
અંબાલાલ પટેલે કહ્યુ કે હજુ 25 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદની આગાહી છે જેમાં પંચમહાલ, કચ્છમાં વરસાદ આવશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પૂરની શક્યતા દર્શાવી હતી.