જેતપુર-સોમનાથ હાઈવે મોતની ખીણ સમાન બન્યો છે. વારંવારના અકસ્માત છતાં તંત્રને કાને જાણે આંધળે બહેરૂ કુટાતું હોય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથમાં જેતપુર-સોમનાથ હાઈવેમાં ખાડામાં પડવાથી અકસ્માતમાં થયેલા મોતને માનવવધનો ગુનો નોંધી સરકારી અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે.
વરસાદથી સૌરાષ્ટ્રના માર્ગોની ભારે અવદશા
અકસ્માત માટે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા માગ
એન્જિનિયર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા માગ
જેતપુર-સોમનાથ હાઇવે પર ખાડાને કારણે થયેલા અકસ્માતના મામલે ફરિયાદ દાખલ કરવા માગ કરી છે. અકસ્માતમાં મોત થતા પોલીસ ફરિયાદ દાખલ કરવા માગ કરી છે. અકસ્માત માટે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા માગ કરાઇ છે.
ઈજનેર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા માંગ
ઈજનેર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા માગ કરાઇ છે. થોડા દિવસ અગાઉ જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. અકસ્માતમાં વ્યકિતનું મૃત્યુ થયું હતું. તો મોડાસાના ટીંટોઈમાં પણ ખાડાને કારણે અકસ્માત થતા પોસ્ટમેનનું મોત થયું છે.