ગુજરાતમાં આ વર્ષે એક જ સમયગાળામાં વધુ વરસાદને કારણે લીલા દૂકાળની સ્થિતિનું નિર્માણ થયો છે. આ અંગે ખેડૂતોના નુકસાનીનું વળતર ચુકવવાની વાત થઈ હતી ત્યારે હજુ સુધી સર્વેનો પણ શુભારંભ થયો છે.
રાજ્યમાં અતિવૃષ્ટિથી પાક નુકસાનીનો મામલો
18 જિલ્લામાં નુકસાની અંગે સર્વે નથી થયો શરૂ
સરકારે 15 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવા આપી છે સૂચના
રાજ્યમાં અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇને સરકારે સર્વે કરવાની સૂચના આપી છે. પરંતુ હજુ 18 જિલ્લામાં નુકસાની અંગે સર્વે શરૂ થયો નથી. માત્ર 15 જિલ્લામાં જ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારે 15 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે.
રાજયમાં અત્યાર સુધી 1012.12 મીમી વરસાદ થયો
20 સપ્ટેમ્બર સુધીમાં સર્વે કરવાની જાહેરાત કરાઇ છે. ચાલુ વર્ષે 85.11 લાખ હેક્ટરમાં પાક વાવેતર થયું છે. 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તાર સામે 100.26% વાવેતર છે. ભારે વરસાદથી પાકોને નુક્સાન થયું છે. રાજયમાં અત્યાર સુધી 1012.12 મીમી વરસાદ થયો છે.