છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતને ઘમરોળી રહેલો વરસાદે જો કે આજે વિરામ લીધો છે પણ જૂનાગઢના વંથલીમાં NDRFની એક ઉમદા કામગીરી સામે આવી છે. 48 કલાક રેસ્ક્યુ કરીને 12 લોકોના જીવ બચાવવાનું જીવ સટોસટનુ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
જૂનાગઢના વંથલીના મંગલપુર ગામથી સારા સમાચાર
NDRFની બહાદુરી અને ફસાયેલાઓની હિંમતથી તમામના જીવ બચ્યા
48 કલાક ચાલેલા રેસ્ક્યૂમાં તમામ 12 લોકોના જીવ બચ્યા
જૂનાગઢના વંથલીના મંગલપુર ગામથી સારા સમાચાર આવ્યા છે. NDRFની બહાદુરી અને ફસાયેલાઓની હિંમતથી તમામના જીવ બચ્યા છે. 48 કલાક ચાલેલા રેસ્ક્યૂમાં તમામ 12 લોકોના જીવ બચ્યા છે.
48 કલાક ચાલેલા રેસ્ક્યૂમાં તમામ 12 લોકોના જીવ બચ્યા
NDRFના જવાનો એક-એક જિંદગી માટે તેમનો જીવ જોખમમાં મુકે છે. જૂનાગઢના રેસ્ક્યૂના દ્રશ્યો ગુજરાતને ચિંતા કરાવે તેવા હતા. NDRFના જવાનો રાત્રે 1-30 વાગે તમામ 12 લોકોને બચાવ્યા છે. ભારે વરસાદને કારણે જળભરાવ થયો હતો અને 12 લોકો વાડીમાં ફસાયા હતા.