ગુજરાતમાં અવિરત વરસી રહેલા પૂરે હવે તારાજી સર્જવાનું શરૂ કરી દીધુ છે અને એમાંય રેવાએ તો પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે મધ્યપ્રદેશમાં પૂરની સ્થિતિ બાદ ગુજરાતમાં ચાવ કામગીરી માટે 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે અલગ અલગ જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. રાજ્યમાં NDRFની 13 ટીમ તૈનાત કરાઇ છે. અત્યાર સુધીમાં 300 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગઈકાલે મોડી રાતે ભરૂચ, નવસારી, અને નર્મદામાં બચાવની કામગીરી હાથ ધરાઈ હતી.
રાજ્યમાં વલસાડમાં 1 ટીમ, નવસારીમાં 1 ટીમ તૈનાત કરાઇ છે. જ્યારે સુરતમાં 1 ટીમ, ભરૂચમાં 2 ટીમ અને વડોદરામાં 2 ટીમ, ગીર સોમનાથમાં 1 ટીમ તૈનાત કરાઇ છે. ઉપરાંત દ્વારકા, મોરબી, પાટણ, કચ્છ, પાલનપુર અને દાહોજમાં પણ NDRFની એક-એક ટીમ તૈનાત કરાઇ છે.