હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વાના સમાચાર આવ્યા છે જેનાથી જગતનો તાત રાજીના રેડ થઈ જશ. ગુજરાતમાં આવર્ષે સરેરાશ 134 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાંથી ચોમાસુ લેશે વિદાય
સત્તાવાર રીતે હવામાન વિભાગ ની જાહેરાત
30 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેવાના આરંભે
ગુજરાતમાંથી વિધિસર રીતે 30મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે એ પહેલા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં મેઘો મનમૂકીને વરસશે. આ વર્ષે રાજ્યમાં 134 ટકા વરસાદ નોંધાયો છે.
5 દિવસ રાજ્યમાં રહેશે સામાન્ય વરસાદી ઝાપટા
ગુજરાતમાં પાંત દિવસ વરસાદી ઝાપટા આવશે. અને એમાંય ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતને ચોમાસું જતા જતા જળબંબોળ કરીને જાય તેવી સંભાવનાઓ છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ સારો રહ્ય હતો. અમદાવાદ સહીત અન્ય વિસ્તારમાં ઉકળાટનું પ્રમાણ રહેશે