ગુજરાતને ભાદરવામાં ભરપૂર ઘમરોળી, આસોમાં પણ શરૂઆતના દિવસોમાં તરબોળ કરીને મેઘરાજાએ રાજ્યમાંથી વિદાયના સંકેત આપ્યા છે. હવામાન વિભાગે પણ ચોમાસાની વિદાયની સંભાવનાને સ્વીકારી છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 140 ટકા વરસાદ નોંધાયો છે. 7 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને મ. ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
ઉનાળામાં પાણીની તંગીને પહોંચી વળાશે
પાછોતરા વરસાદે ખેતીમાં સર્જી તારાજી
7 ઓક્ટોબર સુધી વરસાદ આવશે
રાજ્યમાં નવરાત્રીમાં પણ વરસી રહેલા વરસાદે સૌ કોઈને ચીંતામાં મૂકી દીધા હતા ત્યારે હવે ચોમાસુ ફાઈનલી ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યુ છે જો કે હજુ સાતમી ઓક્ટોબર સુધી વરસાદ ક્યાંક ક્યાંક દેખા દેશે એ બાદ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જશે.
હવામાન વિભાગે ચોમાસાની વિદાયના સંકેત આપ્યા
હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના સંકેત આપ્યા છે પણ હજુ 7 ઓક્ટોબર સુધી મધ્યગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાની આગાહી કરી છે. સામાન્ય રીતે ડાંગમાં આ વખતે મધ્યમ વરસાદ નોંધાયો છે એ સિવાયના તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ વખતનું ચોમાસુ ખરેખર સારૂ હતુ પરંતુ પાછોતરા વરસાદે થોડી ઘણી તારીજી પણ સર્જી હતી.
પાછોતરા વરસાદે ગુજરાતને ઘમરોળ્યુ
મેઘરાજાએ આ વખતે જાણે જતા જતા ગુજરાતને ઘમરોળવાનું નક્કી કર્યુ હતુ તેમ સૌરાષ્ટ્રને અને ઉત્તર ગુજરાતને છેલ્લે છેલ્લે ભારે વરસાદને કારણે ઘણુ નુકસાન વેઠવુ પડ્યુ છે. ખાસ કરીને ઉભો પાક પાણીને કારણે કોહવાઈ ગયો છે. તો નદી નાળા છલકાવાને કારણે છેલ આવવાના બનાવો પણ બન્યા છે.
ચોમાસામાં ખેડૂતોને ભારે વરસાદને કારણે ઘણુ વેઠવુ પડશે
ખેડૂતોએ વાવણી કરી દીધી હતી વધુ વરસાદે તેને નિષ્ફળ બનાવી છે. માંડવી(મગફળી)નો પાક તો સદ્તર નિષ્ફળ નીવડવાની શક્યતાઓ છે. તો કપાસ અને ઉભો એરંડોનો પણ વધુ વરસાદ વેરી બન્યો હતો. ચોમાસુ પાકને ભારે નુકસાનથી ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ છે.
ઉનાળામાં પાણીની તંગી નહી પડે
ઉનાળામાં આ વખતે ગુજરાતને અને સૌરાષ્ટ્રમાં પાણીની તંગી ન થાય એટલો વરસાદ થયો છે જો કે તેનો જળસંચય કેટલો થયો છે તે તો ઉનાળામાં જ ખબર પડશે.