અમદાવાદના ખોખરાના ઘોડાસરની એક સોસાયટીમાં કપિરાજે ત્રણ લોકોને બચકા ભર્યા, નગરસેવકે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને વન વિભાગને જાણ કરી કપિરાજોને પકડવાની માગ કરી
અમદાવાદના ખોખરાના ઘોડાસરમાં કપિરાજનો આતંક
ઘોડાસરની એક સોસાયટીમાં કપિરાજે ત્રણ લોકોને બચકા ભર્યા
એક બાળક અને વૃદ્ધાને કપિરાજે ભર્યા બચકા
અમદાવાદના ખોખરાના ઘોડાસરમાં કપિરાજોઓએ કુદાકૂદ કરી આતંક મચાવ્યો છે. ઘોડાસરની એક સોસાયટીમાં કપિરાજોએ ત્રણ લોકોને બચકા ભર્યા છે, એક બાળક અને વૃદ્ધાને કપિરાજે બચકા ભર્યા છે. જેને લઈ ઘોડાસર વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છવાયો છે.
કપિરાજે ભર્યા બચકા
અમદાવાદાના ખોખરાના ઘોડાસર વિસ્તારમાં કપિરાજોનો આતંક સામે આવ્યો છે. કપિરાજે બાળક અને વૃદ્ધાને બચાકા ભર્યા છે જેને લઈ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે. સોસાયટીના લોકોએ આ અંગે નગરસેવક કમલેશ પટેલને જાણ કરી હતી તેમજ નગરસેવકે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને વન વિભાગને જાણ કરી કપિરાજોને પકડવા માગ કરી હતી. કપિરાજે લોકોને બચકા ભરી લોચા કાઢી નાખ્યા હતા
ઘોડાસરમાં કપિરાજનો આતંક
શહેરમાં ગ્રીનરી ઘટતા કપિરાજો ખોખરા વિસ્તારમાં પ્રવેશ્યો છે. ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારમાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ આ કપિરાજોએ ખોખરા વિસ્તારના લોકો પર હુમલા કરી આતંક મચાવ્યો છે. સ્થાનિક રહીશોએ નગર સેવકને જાણ કરતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. એક કપિરાજને પકડી લેવાયો છે તેમજ અન્યને પકડવા કામાગીરી ચાલી રહી છે. સ્થાનિકોની માગ છે કે, જલ્દીથી કામગીરી કરી આ કપિરાજોને પકડે.