ડિજીટલ બેન્કિંગથી બેંકનું કામકાજ ખૂબ સરળ થઇ ગયુ છે. ખાસ કરીને યુપીઆઈ આવતા કોઈ જગ્યાએ રૂપિયા મોકલવા અને કોઈ પાસેથી રૂપિયા મંગાવવા એકદમ સરળ થઇ ગયા છે. આ સાથે કેટલાંક જોખમ પણ વધારવામાં આવ્યાં છે.
ખોટા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે?
રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ મેસેજ અને ઈ-મેલને આવશ્ય ચેક કરો
જો રૂપિયા પાછા લેવા છે તો શું કરશો?
જો એક ડિઝીટની ગડબડ થઇ હોય તો તમારા રૂપિયા ખોટા ખાતામાં જઇ શકે છે. જાણકારીના અભાવે લોકો આ મામલે નુકસાન કરી બેસે છે. અમુક સરળ ઉપાયોથી આવા રૂપિયાને પાછા મેળવી શકાય છે.
મેસેજ અને ઈ-મેલ ફરજીયાત ચેક કરો
તમે ક્યાય પણ રૂપિયા ટ્રાન્સફર કરો છો તો તમારા ખાતામાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ અને ઈ-મેલ આવે છે. રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ મેસેજ અને ઈમેલને આવશ્ય ચેક કરો. જેનાથી તમને તરત ખબર પડશે કે તમારા રૂપિયા કોઈ ખોટા એકાઉન્ટમાં તો ગયા નથી ને. જો તમે ભૂલથી અન્ય જગ્યાએ પૈસા મોકલ્યા છે. તો મોડૂ કર્યા વગર પોતાના બેંકને તેની સુચના આપો. જેના માટે બેંકના કસ્ટમર કેરને ફોન કરી શકાય છે. બેંક તમારી પાસેથી આ અંગે બધી માહિતી ઈ-મેલ પર માંગી શકે છે. ઈ-મેલમાં બધા પુરાવા એટેચ કરીને બધી જાણકારીઓ જેમકે ટ્રાન્જેક્શન નંબર, રકમ, કયા ખાતામાં રૂપિયા કપાયા અને ભૂલથી કયા ખાતામાં પૈસા જતા રહ્યાં. ટ્રાન્જેક્શનની તારીખ અને સમય વગેરે બતાવો.
આ ભૂલથી રૂપિયા જાતે પાછા આવી જાય છે
ઘણી વખત એવુ હોય છે કે આઈએફએસસી નંબર ખોટો નખાઈ જાય છે અથવા જે બેંક એકાઉન્ટ તમે નાખો છો, તે બતાવતો નથી. આવા મામલામાં પણ તમારા ખાતામાંથી પૈસા કપાઈ શકે છે. જો કે એવા મામલામાં તમારા ખાતામાંથી પૈસા કપાય છે તો રકમ જાતે પાછી જમા થઇ જાય છે. જો રૂપિયા જાતે પાછા આવતા નથી તો તમારી બેંક બ્રાન્ચમાં જઇને મેનેજરને ફરિયાદ કરો. જો આ મામલો એક જ બ્રાન્ચનો થયો છે તો રૂપિયા જલ્દી પાછા આવી જશે.
બ્રાન્ચમાં જઇ કરો ફરિયાદ
જે એકાઉન્ટમાં રૂપિયા ગયા છે, જો તે બીજી બેંક અથવા બ્રાન્ચ હશે તો રૂપિયા પાછા આવવામાં મોડૂ થઇ શકે છે. આવા કેસમાં પૈસા રિફંડ થવામાં બે મહિના સુધીનો સમય થઇ શકે છે. તમને તમારી બેંક પાસેથી આ માહિતી મળી જશે કે કઈ બેંક બ્રાન્ચે ટ્રાન્જેક્શનની પ્રક્રિયા કરી છે. તમે તેને સીધા બેંક બ્રાન્ચને સંપર્ક કરી શકો છો. સંબંધિત બેંક બ્રાન્ચ એ વ્યક્તિ સાથે સીધો સંપર્ક કરશે અને પૈસા પાછા આપવાની સહમતિ આપશે. જેના ખાતામાં ભૂલથી પૈસા જતા રહ્યાં છે.