આજના સમયમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. ઓનલાઈન થતી છેતરપિંડી સામે કેવી રીતે બચવું અને રિફંડ કેવી રીતે મેળવવું, જુઓ આ લેખમાં.
ઓનલાઈન છેતરપિંડીના કેસમાં વધારો.
ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું.
ઓનલાઈન ફ્રોડ માટે કોને ફરિયાદ કરવી.
આજકાલ બેંક સંબંધિત કામ પણ સ્માર્ટફોનની મદદથી સરળતાથી થઈ જાય છે. ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વૃદ્ધિ થવાથી ઓનલાઈન ફ્રોડની ઘટનાઓમાં પણ વધારો થયો છે. જો તમારી સાથે આ પ્રકારની ઘટના થાય તો તાત્કાલિક પગલા લેવા જોઈએ. ઓનલાઈન ફ્રોડમાં તાત્કાલિક પગલા લેવાથી અનેક વાર સરળતાથી રિફંડ મળે છે. બેન્કને પણ તાત્કાલિક ઓનલાઈન ફ્રોડ અંગે ફરિયાદ કરવી જોઈએ.
લોકલ પોલીસ અથવા સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરી શકો છો. જે પણ ફ્રોડ થયું તેની પોલીસ ફરિયાદ ઘટનાના 3 દિવસમાં જ કરવી જોઈએ. આ અંગે ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકો છો. ઘરે બેઠા ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરવા માટે તમે સરકારની અધિકૃત વેબસાઈટ https://www.cybercrime.gov.in/ પરથી ફરિયાદ કરી શકો છો. જો તમે તમારી બેન્ક અથવા પોલીસને ફરિયાદ કરો છો, તો ફરિયાદ કર્યાના 7થી 10 દિવસમાં તમારા એકાઉન્ચમાં પૈસા પરત આવી શકે છે. ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ બાબતે એક નંબર પણ જાહેર કર્યો છે. 1930 નંબર પર ફોન કરીને તમે ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો.
અનેક વાર સાંભળ્યું હશે કે, જે લોકો સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે તેમાં ખુદની જ કોઈ ભૂલ હોય છે. જો તમે પણ તમારી અંગત માહિતી અથવા OTP શેર કર્યો હોય તો આ પરિસ્થિતિમાં રિફંડ સરળતાથી મળતું નથી. લોકોને અલગ અલગ પ્રકારે ઓનલાઈન છેતરપિંડીના શિકાર બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ક્રેડિટ કાર્ડ નંબર, પેમેન્ટ એપ્સના યુઝર નેમ, UPI પિન, પાસવર્ડ જેવી પર્સનલ જાણકારી શેર ના કરવી જોઈએ. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા સમયે કોઈપણ વ્યક્તિને OTP ના જણાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી તમારા એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ કારણોસર થોડા થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો, જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય.