ભારતમાં એક એવું શહેર આવેલું છે જ્યાં રહેનારા લોકો કોઇ ધર્મમાં નથી માનતા. નથી અહીંયા નાણાં ચાલતા તો નથી કોઇ સરકારનું સંચાલન. આ વાત જાણીને થોડું આશ્ચર્ય થશે પરંતુ આ વાત સાચી છે. આ શહેરનું નામ ઓરોવિલ છે.
જ્યાં ચેન્નાઇથી 150 કિલોમીટર દૂર આવેલ છે. આપને જણાવી દઇએ કે આ શહેરની સ્થાપના 1968માં મીરા એલ્ફાઝો નામની મહિલાએ કરી કરી હતી. આજે અમે આપને આ શહેર સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો કરીશું.
આ શહેરને સિટી ઓફ ડોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમિલનાડુના વિલ્લુપ્પુરમ જિલ્લામાં આવેલ છે. આ શહેરને દુનિયાથી ભેદભાવ મટાડવા માટે બનાવવામાં આવેલ છે. આ સ્થળે 50 દેશના લોકો આવીને વસવાટ કરે છે. શરત માત્ર એટલી છે કે અહીં કોઇ માલિક ના બને અહીં સૌએ સેવક બનીને રહેવું પડે છે.
આપને જણાવી દઇએ કે લોકો પોતાના ધર્મથી જોડાયેલ ભગવાની પૂજા નથી કરતા. અહીં આપને કોઇ મૂર્તિ અને તસવીર પણ જોવા મળતી નથી. પરંતુ તેમછતા અહીં એક મંદિર જરૂર છે. જ્યાં લોકો આવીને યોગ કરે છે. આ શહેરની પ્રસંશા યુનેસ્કોએ પણ કરી છે. આ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શહેર છે. આ સ્થળની વસ્તી આશરે 24 હજાર જેવી છે.
કોણે કરી સ્થાપના
આ શહેરની સ્થાપના મીરા અલ્ફાંઝો નામની એક મહિલાએ કરી હતી. તેણી 29 માર્ચના રોજ પોંડુચેરી આવી હતી. ત્યારબાદ તેણી પ્રથમ વિશ્વ યુધ્ધ દરમિયાન તે જાપાન ચાલી ગઇ હતી. મીરા ત્યારબાદ ફરી એકવાર 1920માં આ સ્થળે આવી અને 1924માં અરવિંદો સ્પિરિચ્યુઅલ સંસ્થાન સાથે જોડાઇ. ભારતમાં લોકો તેણીને માં કહીને બોલાવે છે. તેમણે 1968માં આ શહેરની સ્થાપના કરી હતી.
ઓરોવિલોનો અર્થ
ઉલ્લેખનીય છે કે આ શહેરનું નામ ઓરોવિલા રાખવામાં આવેલ છે. જેનો અર્થ થાય છે કે એક એવી વૈશ્વિક નગરી જ્યાં કોઇપણ આવીને વસવાટ કરી શકે છે. આ શહેરને લોકો શાંતિનું શહેર તરીકે ઓળખાવે છે.