ઘરને સુંદર રાખવા માટે તમે બાલ્કનીમાં અનેક પ્રકારના છોડ ઉગાડતા હશો. વાસ્તુશાસ્ત્રની માનીએ તો એક એવો છોડ છે જે ઘરની સુંદરતા વધારની સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ વધારો લાવે છે અને તે છોડનું નામ છે 'મની પ્લાન્ટ'.
આ છોડ માટે તેમ પણ કહેવામાં આવે છે કે, તેને ક્યારેય પણ ખરીદીને ઘરમાં ન લગાવવો જોઇએ. તો આજે કેટલાક ઉપાય જણાવીશુ જેની મદદથી તમે તમારુ નસીબ ચમકાવી શકો છો..
- મની પ્લાન્ટને હંમેશા સાઉથ ઇસ્ટ ઝોનમાં રાખો. હિંદુ ધર્મ અનુસાર સાઉથ ઇસ્ટ દિશા ભગવાન ગણપતિની માનવામાં આવે છે. મની પ્લાન્ટે ભાગ્યનું પ્રિતક માનવામાં આવે છે.
- મની પ્લાન્ટને બુધવારના દિવસે રેવતી નક્ષત્રમાં ઘરે લાવવો, કેમકે આ દિવસે વ્યકિતને શુભ ફળ આપે છે.
- ભૂલથી પણ મની પ્લાન્ટને નોર્થ-ઈસ્ટ (ઉત્તર-પૂર્વ) દિશામાં ન રાખવો. આમ કરવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. ઘરના સભ્યો બિમાર પડી શકે છે.
- પૈસાની તંગી દૂર કરવા મની પ્લાન્ટ સાઉથ-ઈસ્ટ દિશામાં લગાવવા જોઇએ. છોડને જ્યારે પાણી આપો ત્યારે એક ચમચી દૂધ મિક્સ કરો.