રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આજે નાણાંકીય નીતીની સમીક્ષા કરશે. આ નીતિ સમીક્ષામાં RBI વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટોડા કરી શકે છે. જો આ પગલું લેવામાં આવશે તો સસ્તા દરે હોમ લોન અને કાર લોન મળી રહેશે. તેની સાથો સાથ અગાઉની ચાલી રહેલી લોન પર પણ EMI ઓછા થઈ શકે છે.
જો RBI આ વખતે વ્યાજદરમાં ઘટાડો કરશે તો આ સતત ત્રીજી વાર હશે કે વ્યાજદર ઘટાડો કરવામાં આવી રહ્યો હોય. વિદેશી બ્રોકરેઝ કંપની બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક સ્થિતિ સંતોષજનક સ્તર પર છે. જેથી RBI બેંક પરંપરાગતથી હટીને વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.
માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિદર પણ ઘટીને 5.8 ટકાએ પર પહોંચ્યો છે. જે પાંચ વર્ષનો સૌથી નીચલું સ્તર છે. જ્યારે આર્થિક ફુગાવાનો દર એપ્રિલમાં વધીને 2.92 ટકા થયો છે. ત્યારે વિશ્લેષકોનું માનવું છે કે RBI રૂટીન વ્યાજદરમાં 0.35 ટકાનો ઘટાડો કરી શકે છે. જ્યારે મે મહિનાનો આર્થિક ફુગાવો 3.3 ટકાએ પહોચ્યો છે.
ઉલ્લેખનીય છે છેલ્લે મળેલી સમીક્ષા બેઠકમાં આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે દેશની જનતાને ફાયદો થયો હતો. જો આજની સમીક્ષા બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવશે તો હોમ લોન અને કાર લોનના હપ્તાની રકમ પણ ઘટશે. રેપો રેટ ઘટાડવાથી સામાન્ય માણસને રાહત મળશે. તેમજ હોમ લોનના વ્યાજદરોમાં પણ ઘટાડો થશે.