ભોળાનાથને દેવોના દેવ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન શિવ ક્યારેય કોઈનાથી નારાજ થતા નથી. તેમને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માત્ર એક પાણીનો લોટો પણ પૂરતો છે.
ભગવાન ભોળાનાથ જલ્દી થઇ જાય છે પ્રસન્ન
શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવશો તો થશે નુકસાન
આવો જાણીએ આ વસ્તુઓ અર્પણ ના કરવી જોઈએ
આ વસ્તુઓ ભગવાન શિવને ભૂલથી પણ અર્પણ ના કરશો
સોમવારના દિવસે જો વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઇને ભક્તો પર કૃપા વરસાવે છે અને મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવની પૂજામાં શિવલિંગનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે એવી માન્યતા છે કે શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. પરંતુ કેટલીક વસ્તુઓ ભગવાન શિવને ભૂલથી પણ અર્પણ ના કરવી જોઈએ. આવુ કરવાથી ભગવાન શિવ નારાજ થઇ શકે છે અને ભક્તોએ આ વસ્તુનુ નુકસાન ઉઠાવવુ પડી શકે છે. આવો જાણીએ ભગવાન શિવને કઈ વસ્તુઓ અર્પણ ના કરવી જોઈએ.
શિવલિંગ પર ભૂલથી પણ ના કરશો આ વસ્તુ અર્પિત
હળદર
હિન્દુ ધર્મમાં દરેક પૂજા અથવા અનુષ્ઠાનમાં હળદરનુ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ આ વાતનો ખાસ ખ્યાલ રાખો કે શિવલિંગ પર ભૂલથી પણ હળદર ના ચઢાવશો. ધાર્મિક ગ્રંથો મુજબ શિવલિંગ પુરૂષ તત્વનુ પ્રતિક છે અને હળદરનો સૌદર્ય વસ્તુના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એવુ માનવામાં આવે છે કે જો શિવલિંગ પર હળદર ચઢાવવામાં આવે તો વ્યક્તિનો ચંદ્ર નબળો પડે છે.
કુમકુમ અથવા સિંદૂર
હિન્દુ ધર્મમાં કુમકુમ અથવા સિંદૂરનુ વિશેષ મહત્વ છે. મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે કુમકુમ અથવા સિંદૂર લગાવે છે. આ સાથે અમુક લોકો શિવલિંગને પણ સિંદૂર અર્પણ કરે છે, પરંતુ શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર ભૂલથી પણ સિંદૂર અર્પણ ના કરો.
તુલસી
હિન્દુ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓની પૂજા દરમ્યાન તેમને તુલસી પત્ર અર્પણ કરવામાં આવે છે. પરંતુ શિવલિંગ પર ભૂલથી પણ તુલસીના પાંદડા અર્પણ ના કરો. પૌરાણિક કથાઓ મુજબ ભગવાન શિવે તુલસીના પતિનો વધ કર્યો હતો ત્યારથી તુલસીના પાન અર્પણ કરવામાં આવતા નથી.
નારિયેળ પાણી
નારિયેળ પાણીને માં લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. તેથી શિવજીના અભિષેક દરમ્યાન નારિયેળ પાણી અર્પણ ના કરશો. આ સાથે શિવલિંગ પર ચઢાવવામાં આવતી વસ્તુઓને ગ્રહણ કરવાની મનાઈ હોય છે.