જ્યોતિષ અનુસાર સોમવારે સફેદ રંગના કપડાં પહેરવાથી કુંડળીમાં ચંદ્રમા મજબૂત થાય છે. આ સાથે સોમવારે અમુક વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ તેનાથી ઘરમાં કંગાળી આવે છે.
સોમવારે નથી ખરીદવામાં આવતી આ વસ્તુઓ
સફેદ રંગના કપડાં પહેરવાથી ચંદ્રમા થાય છે મજબૂત
ઘરમાં આવી શકે છે ગરીબી
હિંદુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસે કોઈને કોઈ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને દરેક દેવતાઓ માટે એક નિર્ધારિત દિવસ હોય છે. હિંદુ માન્યતાઓ અનુસાર સોમવારનો દિવસે ભગવાન શિવને સમર્પિત હોય છે.
આ દિવસે ભોલેનાથની પૂજા કરવી જોઈએ અને અમુક ખાસ વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ. વાસ્તુ અનુસાર અમુર વસ્તુઓ સોમવારે ખરીદવાથી વાસ્તુ દોષ વધે છે.
ક્યારેય ન ખરીદો આ વસ્તુઓ
વાસ્તુ અનુસાર સોમવારે ગોળ, મધ અને ખાંડ, ચોખા, લોટ અને ઘી બધા પ્રકરાના તેલ ન ખરીદવા જોઈએ. તેના ઉપરાંત લોખંડની વસ્તુઓ જેવી કે નોનસ્ટિક કુકવેર, સ્ટીલ અથવા લોખંડની કડાઈ પણ ન ખરીદવી જોઈએ.
આભૂષણ અને ઉપહાર
સોમવારે ગૃહ પૂજન અથવા મંદિરમાં જવાની સલાહ આપવામાં આવે છે. માટે જો તમે કોઈ પણ ધાર્મિક અથવા સાંસ્કૃતિક પ્રવૃતિમાં શામેલ થવા જઈ રહ્યા છો તો તમને યોગ્ય સમય પર ખરીદી કરવી જોઈએ. સોમવારે આભૂષણ અથવા ઉપહાર પણ ન ખરીદવા જોઈએ.
ગાડીઓ અથવા ગેજેટ્સ પણ ન ખરીદો
વાસ્તુ અનુસાર સોમવારે રમત સાથે જોડાયેલી વસ્તુઓ, ગાડી અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવું ખૂબ જ અશુભ હોય છે. આ વસ્તુઓ જો સોમવારે ખરીદવામાં આવે છે તો અશુભ ફળ મળે છે અને લાંબા સમય સુધી નથી ચાલતી.
સોમવારે પહેરો સફેદ કપડાં
જ્યોતિષ અનુસાર સોમવારે સફેદ રંગના કપડા પહેરવાથી કુંડળીમાં ચંદ્રમા મજબૂત થાય છે અને સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવવું અને ખીરનો ભોગ લગાવવાથી પણ ભોલેનાથ પ્રસન્ન થાય છે.
સોમવાર કુંડળીમાં ચંદ્રમા મજબૂત કરવા માટે પણ સારો માનવામાં આવે છે. માટે આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક સાબિત થાય છે.