શરીર પર ઘણા નિશાન જન્મની સાથે જ હોય છે અને ઘણા સમયની સાથે શરીર પર દેખાય છે. સમુદ્રશાસ્ત્રમાં આ તમામ નિશાન અને ચિહ્નનું મહત્વ અને અર્થ બતાવવામાં આવ્યો છે.
સમુદ્રશાસ્ત્ર અનુસાર શીરર પર રહેલા મસ્સા અને તલનું પણ પોતાનું મહત્વ છે. શરીરના વિભિન્ન અંગો પર સ્થિતિ અનુસાર આ શુભ અને અશુભ પરિણામ આપે છે. જાણી શરીર પર રહેલા આ તલ વિશે જે તમને શુભ લાભ અપાવે છે...
કાનપટ્ટી એટલે કે કાનની પાસેના ભાગમાં જો પુરુષને જમણી બાજુ તલ છે તો એક શુભ ચિહ્ન છે. આ તલ હોવાનો મતબલ છે કે તમને જીવનમાં વિભિન્ન પ્રકારની સુખ-સુવિધાઓ અને ખુશીઓ મળશે.
કોઇ પણ મહિલા અથવા પુરુષને ગાલ, નીચલા હોઠની પાસે, કોણી, ઘૂંટણ પર તલ તેમના સામાન્ય જીવનનો સંદેશો આપે છે. એવા લોકોના જીવન ઉતાર-ચઢાવની સાથે સમાન્ય રીતે પસાર થશે. એવા લોકો ના તો ઘણા અમીર અને સુખી હોય છે અને ના તો ઘણા ગરીબ.
જો કોઇ વ્યકિતના ગળા પર તલ હોય છે તેઓ દયાળુ હશે. તો હાથ પર તલ હોય તે વ્યકિત ધનવાન હશે તેવા સંકેતો મળે છે.
જે લોકોની હથેળી પર તલ હોય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, આ લોકો ધનની દ્રષ્ટિએ સતત વુદ્ઘિ કરે છે. પરતુ મુઠ્ઠી બંધ કરવા પર તલની મુઠ્ઠીની અંદર હોવુ શુભ માનવામાં આવે છે. તલ જો મુઠ્ઠીની બહાર રહેશે તો ધનની સ્થિતિ સામાન્ય રહેશે.
જે લોકોની મધ્ય આંગળીની પાસે તલ છે તેઓ શાંત સ્વભાવના હોય છે. આ સાથે જે લોકોની અનામિકા આંગળી પર તલ હોય તેઓ ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરે છે અને તેમના જીવનમાં સતત લક્ષ્મીજીની કૃપા બની રહે છે.
સમુદ્રશાસ્ત્ર અનુસાર, જે વ્યકિતની સૌથી નાની આંગળી પર તલ હોય છે, તેઓને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે અને તેમના જીવનમાં ધન લાભ થાય છે. એવા લોકો સાંસરિક જીવનમાં સામાન્ય રીતે ખુશ રહે છે.