આપણા શરીરના દરેક અંગ પર તલ જોવા મળે છે, શરીરના અંગો પર તલ હોવા એ સામાન્ય વાત છે. સામાન્ય રીતે જન્મ સમયથી જ અંગો પર તલ જોવા મળે છે. અને પછી પણ થઇ શકે છે. જોકે જ્યોતિષીય આધારે માનીએ તો, શરીર પર તલ હોવા તેનું ખાસ મહત્વ હોય છે. સમુદ્ર શાસ્ત્રના આધારે આ તલ આપણા નસીબ વિશે પણ ઘણું બધુ દર્શાવે છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ શરીરના અંગો પર અમુક જગ્યાઓ પર તલ હોવાના સંકેતને શુભ માનવામાં આવે છે. તે જ મુજબ શરીરના અંગો આ સાત જગ્યા પર તલ હોવું, તે આર્થિક રીતે શુભ ગણાય છે.
1 ખાવાના શોખીન હોય છે
સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના પેટ પર તલ હોય તો, તે વ્યક્તિ પૈસા અને આર્થિક રીતે વૈભવશાળી છે. એ ઉપરાંત તે વ્યક્તિ ખાવાનો પણ ખુબ શોખી હોય છે.
2 ખ્યાતિ પ્રાપ્ત થાય
જો કોઈ વ્યક્તિના પગના અંગુઠા પર તલ હોય તો, આ તલ ધની હોવાનો સંકેત દર્શાવે છે. આવા વ્યક્તિ સામાજીક બાબતો પર ઘણીન ખ્યાતી પ્રાપ્ત કરે તેવા હોય છે.
3 ભંડોળની અછત હોતી નથી
સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની નાભિ અને જનનાંગોની વચ્ચે તલ હોય તો, તેમના ઘરમાં ક્યારેય ભંડોળની અછત થતી નથી.
4 સુખી લગ્ન જીવન
સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને બન્ને ભમર વચ્ચે તલ હોય તો, માનવામાં આવે છે કે આવા લોકોનું લગ્ન જીવન સુખી હોય છે અને આર્થિક રીતે મજબુત હોય છે.
5 દાઢી પર તલ હોય તો
આપણે જોઈએ છીએ કે ઘણી વખત લોકોની દાઢી પર તલ હોય છે. જોકે એવું કેહવામાં આવે છે કે, જે લોકોની દાઢી પર તલ હોય તે લોકો સુંદર હોય છે. પરંતુ સમુદ્ર શાસ્ત્ર મુજબ દાઢી પર તલ હોવું શુભ માનવામાં આવે છે અને સાથે તેમને આર્થિક રૂપે મુશ્કેલીઓ ઓછી થાય છે. આવા વ્યક્તિઓ પાસે ધનની અછત થતી નથી.
6 સંપતિની પ્રાપ્તિ થાય છે
સમુદ્ર શાસ્ત્ર મુજબ, હાથની આંગળીઓ પર જુદી જુદી જગ્યાઓ પર તલ હોય ત્યારે, જો કોઈ વ્યક્તિની સૌથી નાની આંગળી પર તલ હોય તો, આવા લોકો પાસે ભરપુર સંપતિના માલીક હોય છે. જયારે કોઈ વ્યક્તિની અનામિકા આંગળી પર તલ હોય તો, આવા લોકો ધનિક અને યશ પ્રાપ્ત કરે છે. અને તર્જની આંગળી પર તલ હોય તો આ વ્યક્તિ ધનવાન હોય છે પરંતુ સાથે દુશ્મનોથી ચિંતિત હોય છે.
7 આવા લોકો ખૂબ પૈસા કમાય છે
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને નાકની ડાબી બાજુ પર તલ હોય તો, આ ધન પ્રાપ્તિનો સંકેત છે. વ્યક્તિને જો પીઠ પર તલ હોય તો, આવી વ્યક્તિઓ કમાવે છે અને વિપુલ પ્રમાણમાં સંપત્તિ ખર્ચ કરે છે.