આજકાલ મોહિત પોતાની એક્ટિંગના લીધે નહીં, પરંતુ બીજા કોઈ કારણોને લઈને ચર્ચામાં આવી રહ્યા છે.
"દેવો કે દેવ કે દેવ મહાદેવ" માં શંકર ભગવાનની ભૂમિકા નિભાવનાર એક્ટર છે મોહિત રૈના
ચાર લોકો વિરુધ્ધ મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં આઇપીસી 384 હેઠળ FIR નોંધાવી છે
#MohitBacaho નામે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ
"દેવો કે દેવ કે દેવ મહાદેવ" માં શંકર ભગવાનની ભૂમિકા નિભાવનાર એક્ટર છે મોહિત રૈના
મોહિત રૈના, જ્યારે પણ આ નામ સાંભળવા મળે એટલે મનમાં મહાદેવ ભાગવાની છબી ઉપસી આવે, કારણકે ટીવી પર આવતી સિરિયલ "દેવો કે દેવ કે દેવ મહાદેવ" માં શંકર ભગવાનની ભૂમિકા નિભાવનાર એક્ટર છે મોહિત રૈના. જો તમને યાદ હોય તો આ એક્ટરે વિક્કી કૌશલ સાથે ઉરી ફિલ્મમાં પણ કામ કર્યું છે. પોતાની એક્ટિંગ દ્વારા તેણે ઘણા ચાહકોના દિલમાં પોતાનું આગવું સ્થાન પણ બનાવ્યું છે.હાલ મોહિત એક્ટ્રેસ ડાયના પેન્ટી સાથે ફિલ્મમાં કામ કરી રહ્યા છે. સાથે જ તે નિખિલ અડવાણીની એક ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે.
ચાર લોકો વિરુધ્ધ મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં આઇપીસી 384 હેઠળ FIR નોંધાવી છે
આજકાલ મોહિત પોતાની એક્ટિંગના લીધે નહીં, પરંતુ બીજા કોઈ કારણોને લઈને ચર્ચામાં આવી રહ્યા છે. તેનું પાછળનું મુખ્ય કારણ એ છે કે થોડા દિવસ પહેલા મોહિતે સારા શર્મા નામની મહિલા સહિત, પ્રવીણ શર્મા, મિથિલેશ તિવારી, આશિવ શર્મા નામના ચાર લોકો વિરુધ્ધ મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં આઇપીસી 384 હેઠળ FIR નોંધાવી છે.
#MohitBacaho નામે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ થયું
મૂળ ઘટના એ છે કે સારા શર્મા એક એક્ટર છે અને તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નાનું મોટું કામ કર્યું છે સાથે જ તે મોહિત શર્માની ચાહક પણ છે. થોડા દિવસ પહેલા તેણે #MohitBacaho નામે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કર્યું. આ સાથે જ તેણે લખ્યું કે સુશાંતસિંહ રાજપૂતની જેમ મોહિત પણ આતમહત્યા કરવાનું વિચારી રહ્યો છે. આ ઘટના બાદ મોહિત અને તેના પરિવારે તેના અને બીજા ત્રણ લોકો વિરુદ્ધ અફવા ફેલાવવા બદલ ફરિયાદ કરી છે. પરિવાર વાળાએ કહ્યું કે મોહિત એકદમ ફિટ અને ફાઇન છે અને તે કોઈ પણ પ્રકારની ચિંતા કરી રહ્યા નથી. આ ઘટના બાદ કોર્ટે આરોપીઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાના આદેશ આપી દીધા છે. આ ઘટના બાદ મોહિતે તેના ચાહકો માટે એક મેસજ પણ લખ્યો હતો.