12મી મેના રોજ મોહિની એકાદશી અને તેમાં પણ પાછો ગુરુવાર, આ દિવસે સર્જાઇ રહ્યા છે વિશેષ યોગ. આ દિવસે જે કાર્ય કરશો તે શુભ ફળ આપશે
12મેના રોજ સર્જાશે મહત્વનો સંયોગ
4 રાશિના જાતકોને થશે ફાયદો
ગુરુવારે છે મોહિની એકાદશી
આ મહિનાની 12 તારીખ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત ફળદાયી અને શુભ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.. હિંદુ કેલેન્ડર મુજબ આ દિવસે ઘણા મહત્વપૂર્ણ સંયોગો બની રહ્યા છે. જેના કારણે આ દિવસે પૂજાનું ફળ અનેકગણું વધી જાય છે. આ દિવસે એકાદશી પણ છે જેને મોહિની એકાદાશી તરીકે ઓળખાય છે.
મોહિની એકાદશીનું શું છે મહત્વ ?
આ દિવસે વિશેષ ધાર્મિક કાર્ય કરવાનો નિયમ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યો છે. તમામ તિથિઓમાં એકાદશી તિથિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન વિષ્ણુએ પૃથ્વીને રાક્ષસોથી બચાવવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી. આ વખતે મોહિની એકાદશી 12મી મેના રોજ છે. આ દિવસે ગુરુવાર છે. ગુરુવાર ભગવાન વિષ્ણુ માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. ગુરુવારે એકાદશી આવતી હોવાથી તેનું મહત્વ વધુ વધી રહ્યું છે.
12 મેના દિવસે બની રહ્યો છે મહત્વનો યોગ
હિંદુ કેલેન્ડર મુજબ 12મી મેના રોજ અનેક વિશેષ સંયોગો બની રહ્યા છે. આ દિવસે એકાદશીની સાથે સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પણ રહેશે. આ સાથે આ દિવસે હર્ષન યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હર્ષન યોગમાં કરેલા કાર્યમાં સફળતા મળે છે.
આ રાશિના જાતકોને થશે ફાયદો
12મી મેના રોજ ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરશે. મોહિની એકાદશીના દિવસે બે ગ્રહો પોતાની રાશિમાં ભ્રમણ કરશે. શનિ કુંભ રાશિમાં રહેશે અને ગુરુ પોતાની રાશિ મીનમાં બિરાજશે. આ બંને ગ્રહ રાશિવાળાઓને રાજયોગ જેવું ફળ આપશે. તુલા, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે મે મહિનો લાભદાયી સાબિત થશે.