26 એપ્રિલ ગુરુવારે મોહિની એકાદશી છે. ધર્મ ગ્રંથો અનુસાર આ તિથી પર ભગવાન વિષ્ણુએ મોહિની રૂપમાં અવતાર લીધો હતો. એક જ્યોતિષ અનુસાર આ દિવસે કંઇક વિશેષ ઉપાય કરવામાં આવે તો કોઇના પણ નસીબ ચમકી શકે છે. તો જણાવીએ તમને એ ઉપાય માટે...
આ દિવસે ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ અથવા અન્ય કોઇ પીળા રંગનું ફૂલ ચઢાવવું શુભ રહે છે.
ભગવાન વિષ્ણુને પીતાંબરધારી કહેવાય છે એટલા માટે એકાદશી પર એમને પીળા કપડા અર્પિત કરવા જોઇએ.
પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનાવામાં આવે છે. એટલા માટે એકાદશી પર પીપળાના ઝાડ પર પાણી ચઢાવો.
એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને એનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો.
એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર પીળું ફળ અથવા પીળા રંહની મિઠાઇનો ભોગ ચઢાવો.
એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાનો અને છોડને પ્રણામ કરો.
જો તમે ધન લાભ ઇચ્છો છો તો એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો.
ગાયના કાચા દૂધમાં કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો.