બનાસકાંઠા જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરાશે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું
જિલ્લા માં કોઈ પણ સરકારી મિલકતમાં ધરણા, વિરોધ પ્રદર્શન,આવેદન પત્ર પર પ્રતિબંધ
૧૦/૦૩/૨૦૨૩ થી ૨૪/૦૩/૨૦૨૩ સુધી લાગુ રહેશે જાહેરનામું
છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ કરી તેની જગ્યાએ ચિક્કી આપવામાં આવતા ઠેર ઠેર તેનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જીલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જીલ્લામાં કોઈ પણ સરકારી મિલ્કતમાં ધરણાં, વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. તેમજ ડીજે સાઉન્ડ માઈક અને કોઈ પણ પ્રકારનાં સાઉન્ડ સિસ્ટમ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાં ભંગ કરનારને સીધી સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં તેની સામે આઈ પી. સી. ક.188,135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમજ અંબાજી મંદિર ના 7 નંબર ગેટ પર પણ જાહેરનામાની નોટિસ લગાવવામાં આવી છે. ત્યારે આ જાહેરનામું ૧૦/૦૩/૨૦૨૩ થી ૨૪/૦૩/૨૦૨૩ સુધી લાગુ રહેશે.