પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓને લઇને ભાજપ હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાતે જઇ રહ્યાં છે. જો કે તે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત આજથી બે દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચી રહ્યાં છે. ઓગસ્ટ 2019 પછી મોહન ભાગવતની આ 5મી પશ્ચિમ બંગાળ મુલાકાત હશે.
આજથી RSS સુપ્રીમો મોહન ભાગવત બંગાળના પ્રવાસે
મોહન ભાગવત બે દિવસ બંગાળમાં રોકાશે
19 ડિસેમ્બરે અમિત શાહ પણ બંગાળના પ્રવાસે આવશે
મોહન ભાગવતે કોલકાતા દરમિયાન પ્રાંતના યુવાનો સાથે મુલાકાત કરશે. મોહન ભાગવત રાજ્યના યુવાનાને મળશે જે સ્પેસ રિસર્ચ, નાસા, માઇક્રોબાયોલોજી, મેડિકલ સાઇન્સના ક્ષેત્રમાં ઉપલબ્ધિયો પ્રાપ્ત કરી પરત ફરી મેક ઇન ઇંડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.
ઓગસ્ટ 2019 પછી RSS સુપ્રીમો મોહન ભાગવતનો આ 5મો પશ્ચિમ બંગાળ પ્રવાસ છે. તેમનું ધ્યેય સંગઠનને બ્લોક સ્તર પર વધુ મજબુત કરવાનું છે. આ અગાઉ 2019માં 1 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 19 સપ્ટેમ્બર અને 2020માં 22 સપ્ટેમ્બરના રોજ બંગાળની મુલાકાત લીધી હતી.
મોહન ભાગવતની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 19 ડિસેમ્બરે થનારા પ્રવાસ પહેલા થઇ રહી છે. આવામાં RSS સુપ્રીમો મોહન ભાગવતના આ પ્રવાસને આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે RSSની હાજરી 1939થી પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે, પરંતુ વામપંથીના 34 વર્ષના કાર્યકાળમાં સંઘનો વ્યાપક વિસ્તાર રાજ્યમાં જોવા મળ્યો નહોતો. 2011માં વામપંથીની સરકાર ગયા બાદ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી સંઘ સતત પશ્ચિમ બંગાળમાં પોતાની પકડ મજબૂત બનાવવા પ્રયત્નો કરી રહ્યું છે.
ભાજપ અધ્યક્ષના કાફલા પર થયેલા હુમલા સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માંગ્યો હતો રિપોર્ટ
કોલકાતામાં ગુરુવારે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાને લઈને કોલકાતાથી લઈને દિલ્હી સુધી રાજકીય તાપમાન વધી ગયું હતું. ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પોતાનો અહેવાલ સોંપતા કહ્યું હતું કે હું રાજભવનમાં રબર સ્ટેમ્પ બનીને ન બેસી શકું.
બંગાળમાં ભાજપ અને TMC આમને સામને
નોંધનીય છે કે બંગાળમાં ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાની ઘટનાને લઈને બંગાળમાં હાલમાં ભાજપ અને મમતા બેનરજીની TMC આમને સામને જોવા મળી રહ્યાં છે, બંને એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જો કે આ ઘટના સંદર્ભે ગૃહ મંત્રાલયે રાજ્યપાલ પાસે અહેવાલ માંગતા ગવર્નર જગદીપ ધનખડે આ પ્રમાણેની વાત કરી હતી.