સમગ્ર દેશમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે RSSના કાર્યક્રમમાં દેશમાં થઈ રહેલી વિવિધ મોબ લિંચિંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'ભીડ હત્યા' ( મોબ લિંચિંગ) પશ્ચિમી પદ્ધતિ છે દેશને બદનામ કરવા માટે ભારતના સંદર્ભમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ. દરવર્ષે વિજયાદશમીના પર્વ પર RSS દ્વારા શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રેશ્મીબાગ મેદાનમાં શસ્ત્રપૂજા દરમિયાન સ્વયંસેવકોને મોહન ભાગવતે સંબોધિત કરતા આ વાત કહી હતી.
દેશને બદનામ કરવા લિંચિંગ શબ્દનો આવિષ્કાર કરવમાં આવ્યો છે,
દશેરાના પર્વ પર સંઘ પ્રમુખે કહ્યું કે લિંચિંગ શબ્દનો ઉદ્ભવ ભારતીય નીતિથી નથી થયો, આવા શબ્દ ભારતીય પર થોપવામાં ન જોઈએ
હિંદુ મુસ્લિમ એકતા માટે જમીયતના પ્રમુખ સાથે મોહન ભાગવતે કરી મુલાકાત
ધારા 370 હટાવવા માટે મોદી શાહના વખાણ
જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 ખતમ કરવાના સરકારના પગલાને સંઘ પ્રમુખ દ્વારા વખાણવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે દેશના બધા મુદ્દાઓને આવરી લીધા હતા. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને છીનવી લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરવી જોઈએ કારણકે આ ખુબ સાહસિક પગલું હતું.
RSSના વિરોધીઓ પર આકરા પ્રહાર
તેમણે RSSથી વિરુદ્ધ વિચારધારા ધરાવતા લોકો પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પાછલા અમુક વર્ષોમાં ભારત દેશની વિચારવાની દિશામાં એક પરિવર્તન આવી ગયું છે જેને ન ઈચ્છવાવાળા લોકો દુનિયામાં પણ છે અને ભારતમાં પણ અને પોતાના અંગત સ્વાર્થ માટે આ શક્તિઓ ભારત દ્રઢ અને શક્તિ સંપન્ન થાય તેવું ઈચ્છતી નથી.
આ ઉપરાંત તેમણે દેશની સુરક્ષા માટે પણ મોદી સરકાર અને દેશની સેનાના વખાણ કર્યા હતા
દેશની સુરક્ષા પર બોલતા તેમણે કહ્યું કે સૌભાગ્યની વાત છે કે આપણા દેશની સામર્થ્યની સ્થિતિ, આપણા દેશની સેનાની તૈયારી, દેશના શાસનકર્તાઓની સુરક્ષા નીતિ અને આપની આંતરરાષ્ટ્રીય કુટનીતિમાં કુશળતા એ પ્રકારની છે કે આ મામલામાં સમગ્ર દેશ આશ્વસ્ત છે.
સીમા પર ચોકીઓ વધારવા ટકોર
દેશની સુરક્ષા પર પણ તેમણે નિવેદનો કરતા તેમણે કહ્યું કે સ્થળ સીમા અને જળસીમા પર સતર્કતા પહેલા કરતા સારી છે પરંતુ સ્થળ સીમા પર સુરક્ષા ચોકીઓ અને જળસીમા પર ટાપુઓ પર મોનીટરીંગ વધારવું પડશે. દેશમાં ઉગ્રવાદી હિંસામાં ઘટાડો થયો છે અને ઉગ્રવાદીઓની આત્મસમર્પણની સંખ્યા પણ વધી છે.
હિંદુઓએ દેશ છોડવું નહિ પડે
સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ પહેલા અસમમાં NRCમાં લોકોનું નામ ન આવવાના મુદ્દા પર કહ્યું હતું કે દેશના એક પણ હિંદુને દેશ છોડવો નહિ પડે. માનવામાં આવી રહ્યું છે કે મોહન ભાગવતે આ જ ટીપ્પણી ભાજપ અને સંઘ વચ્ચે બંધ બારણે થતી બેઠકમાં કરી હતી.આ બેઠક બાદ સંઘના પદાધિકારીએ કહ્યું કે મોહન ભાગવતે સ્પષ્ટ કહી દીધું છે કે એક પણ હિંદુ એ દેશ છોડીને જવાનું નથી. આ ઉપરાંત તેમણે બીજા દેશમાંથી પ્રતાડિત થઈને આવેલા હિન્દુઓને પણ ભારત છોડીને ક્યાય જવાની જરૂર નથી.
HCLના સંસ્થાપક શિવ નાદર મુખ્ય અતિથી
ભાગવતે કહ્યું કે સમાજના વિભિન્ન વર્ગોમાં એકબીજા પ્રત્યે સદભાવના, સંવાદ અને સહયોગ વધારવા માટે પ્રયત્નો કરવા જોઈએ. દશેરાનો પર્વ સંઘ માટે અતિ મહત્વનું માનવામાં આવે છે કારણકે આ જ દિવસે 1925માં સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. આ વાર્ષિક સમારોહમાં HCLના સંસ્થાપક શિવ નાદર મુખ્ય અતિથી હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, જનરલ(રીટાયર્ડ) વી.કે.સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હાજરી આપી હતી.