હરિદ્વારથી મોહન ભાગવતે હુંકાર કરતા કહ્યું '15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે. સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે.'
હરિદ્રારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સર સંઘચાલકનો હુંકાર
15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે: મોહન ભાગવત
ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે: મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સર સંઘચાલક મોહન ભાગવતે હરિદ્રારમાં કહ્યું કે, 'સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. 15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે અને અમે આ બધું પોતાની આંખોથી જોઈશું. ભારત સતત પ્રગતિ પથ પર આગળ વધી રહ્યો છે અને જે પણ તેના રસ્તે આવશે તે ખતમ થઇ જશે.'
જ્યોતિષીઓ અને સંતોના મતે 20થી 25 વર્ષમાં ભારત ફરી એક અખંડ ભારત બનશે
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, 'જ્યોતિષીઓ અને સંતોના મતે 20થી 25 વર્ષમાં ભારત ફરી એક અખંડ ભારત બનશે. જો આપણે સૌ સાથે મળીને આ કાર્યને ઝડપથી આગળ વધારીએ તો 10થી 15 વર્ષમાં અખંડ ભારતનું નિર્માણ થશે.'
આરએસએસના વડા બુધવારે બ્રહ્મલિન મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી દિવ્યાનંદ ગિરી, પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી ગુરુત્રય મંદિરની મૂર્તિનું ઉદ્ઘાટન કરવા માટે કનખલના સન્યાસ રોડ પર આવેલા શ્રીકૃષ્ણ નિવાસ અને પૂર્ણાનંદ આશ્રમમાં પહોંચ્યા હતાં.
અમારા મનમાં કોઈ દ્વેષ નથી પરંતુ દુનિયા શક્તિને જ માને તો અમે શું કરીએ: ભાગવત
આ પ્રસંગે તેઓએ કહ્યું કે, 'ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. જે પણ તેના રસ્તે આવશે તે ખતમ થઇ જશે. તેઓએ કહ્યું કે, અમે માત્ર અહિંસાની જ વાત કરીશું, પરંતુ હાથમાં ડંડો લઈને આ વાત કરીશું. અમારા મનમાં કોઈ દ્વેષ કે દુશ્મની નથી પરંતુ દુનિયા શક્તિને જ માને તો અમે શું કરીએ?'
ભાગવતે કહ્યું કે, 'જે કહેવાતા લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે, તેમનો પણ તેમાં સહયોગ છે. જો તેઓ વિરોધ ના કરતા તો હિંદુ જાગત નહીં. આ પ્રસંગે મહામંડલેશ્વર સ્વામી ગિરિધર, સ્વામી વિશોકાનંદ ભારતી, સ્વામી વિવેકાનંદ, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને મહાનિર્વાણી અખાડાના સચિવ રવિન્દ્રપુરી, મહામંડલેશ્વર હરિચેતનાનંદ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.'
જ્યાં સુધી રાષ્ટ્ર છે ત્યાં સુધી ધર્મ છે
તેમણે કહ્યું કે, આપણી રાષ્ટ્રીયતા ગંગાના પ્રવાહની જેમ વહી રહી છે. જ્યાં સુધી રાષ્ટ્ર છે ત્યાં સુધી ધર્મ છે. ધર્મના ઉત્થાનના પ્રયાસો થશે તો ભારતનો ઉદય થશે. ભારતમાં સનાતન ધર્મનો અંત લાવવા માટે એક હજાર વર્ષ સુધી સતત પ્રયાસો થયા, પરંતુ તે અદૃશ્ય થઈ ગયો. પરંતુ આપણે અને સનાતન ધર્મ હજુ પણ ત્યાં જ છીએ. તેમણે કહ્યું કે, ભારત એક એવો દેશ છે કે જ્યાં દુનિયાના દરેક પ્રકારના વ્યક્તિની દુષ્ટ પ્રવૃત્તિનો અંત આવે છે. તે ભારતમાં આવીને કાં તો ઠીક થઈ જાય છે અથવા તો ગાયબ થઈ જાય છે.