સંઘ સુપ્રીમો મોહન ભાગવત કાનપુર પહોંચી ચૂક્યા છે. રેલવે સ્ટેશનથ તેઓ સીધા જ પંડિત દીનદયાળ ઇન્ટર કોલેજ માટે રવાના થયાં હતા. મોહન ભાગવત કાનપુરમાં 4 દિવસ રોકાણ કરવાના છે. આજે સાંજે તેઓ સ્વયં સેવકો સાથે સામુહિક રીતે વાર્તાલાપ કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ અયોધ્યામાં રામમંદિર મામલે પણ ચર્ચા કરી શકે છે.
સંઘના પૂર્વી ઉત્તર પ્રદેશના 500 સ્વંયસેવકોનું પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે. જેમાં સંઘના કેન્દ્રીય પદાધિકારીઓ દ્વારા દરરોજ સ્વયં સેવકોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સંઘ પ્રમુખ પણ આ પ્રશિક્ષણનો હિસ્સો બનવાના છે. આ દરમિયાન સ્થાનિક સંઘ પદાધિકારીઓ, જેમાં ક્ષેત્ર સંઘ ચાલક વિરેન્દ્રજીતસિંહ, પ્રાંત પ્રચારક સંજય જોડાશે અને મોહન ભાગવતને મળશે.
આપને જણાવી દઇએ કે, પોતાના ચાર દિવસીય મહાનગર પ્રવાસ દરમિયાન કોઇ સાથે ઔપચારિક રીતે મળવાનો કોઇ કાર્યક્રમ નથી. અહીંથી સાંસદ બનેલા સત્યદેવ પચૌરી અને અકબરપુરના સાંસદ બનેલ દેવેન્દ્ર સિંહ ભોલે તેમને મળવા જઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, સંઘ સુપ્રીમોની આ ચાર દિવસીય મુલાકાતને પગલે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.