અનુભવી ખેલાડીઓ ન હોવા છતાં ભારતની યુવા બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી છે. સુંદર, નટરાજન, સિરાજ અને ગિલ ઓસ્ટ્રેલિયામાં છવાઇ ગયા હતા. સિરાજ માટે આ પ્રવાસ ખુબ જ શાનદાર અને યાદગાર રહ્યો હતો. તે માત્ર જીતીને જ નહી પરંતુ પિતાનું સપનુ પુરુ કરીને પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં જીતીને આવ્યા બાદ સિરાજે પોતાની જાતને ગિફ્ટ કરી છે.
BMW કરી ગિફ્ટ
શુક્રવારે સિરાજે પોતાની જાતને બીએમડબલ્યુ ગિફ્ટ કરી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખુલાસો થયો છે, સિરાજે નવી ગાડીનો એક વીડિયો પોતાના સોશ્યલ મિડીયા પર શૅર કર્યો. સિરાજના પિતા એક સમયે રિક્ષા ચલાવતા હતા અને દિકરાએ BMW ગાડી ઉભી કરી દીધી હત. જો કે આ પળ જોવા માટે સિરાજના પિતા હયાત નથી.
પિતાએ ક્યારેય કમી નથી આવવા દીધી
સિરાજ હૈદરાબાદમાં એક બેહદ ગરીબ પરિવારમાંથી આવે થે અને તેના પિતા એક રિક્ષા ડ્રાઇવર હતા. ડ્રાઇવર હોવા છતાં તેમણે ક્યારેય બાળકોને કોઇ વાતની કમી નથી આવવા દીધી. સિરાજ દિવસે ક્રિકેટ પ્રેક્ટિસ કરતો અને રાત્રે પણ તે પ્રેક્ટિસ માટે જતો હતો. જેના માટે તેની માતાએ તેને ખુબ પીટ્યો પણ હતો પરંતુ તેની આ જ પ્રેક્ટિસ તેને આઇપીએલ સુધી લઇને ગઇ.
ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં સભ્ય મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયાથી પરત ફરીને હૈદરાબાદ એરપોર્ટથી સીધો તેનાં પિતાની કબર પર તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોતા પહેલા થયુ પિતાનું નિધન
સિરાજનાં પિતાનું સપનું હતુ કે તેમનો દીકરો ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરે. પણ દીકરાને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમમાં રમતો જોતા પહેલાજ તેમનું નિધન થઈ ગયું હતું. આજે જો સિરાજનાં પિતા હયાત હોત તો ઓસ્ટ્રેલિયામાં પોતાના દીકરાનું પ્રદર્શન જોઈને તેના પર ખૂબ ગર્વની લાગણી અનુભવાતા.
સિરાજે પિતાનું સપનું સાકાર કર્યું
સિરાજનાં ભાઈ મોહમ્મદ ઇસ્માઇલે નિવેદન આપ્યું છે કે, મારા પિતાનું સપનું હતું કે સિરાજ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમે અને તેઓ બ્લૂ અને સફેદ જર્સીમાં સિરાજને જોવા ઇચ્છતા હતા. આજે મારા પિતાનું સપનુ પુરું થયુ છે, સિરાજે તે સપનું સાકાર કર્યું છે. અમને ખૂબ ખુશી છે કે સિરાજ ભારતીય ક્રિકેટ ટીમને જીત મેળવવામાં મદદરૃપ નીવડ્યો છે. ભારતીય ટીમની વિજય થવાનું જશ્ન અમે નથી મનાવી શક્યા પણ અમારી સોસાયટી અને હૈદરાબાદનાં લોકોએ જશ્નની પૂરી તૈયારીઓ કરી છે.
હૈદરાબાદમાં એક અઠવાડિયુ રહીને સિરાજ 27 જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચશે
સિરાજ એક અઠવાડિયું હૈદરાબાદ રહીને 27 જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચશે. જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે. સિરાજને ઈંગ્લેન્ડ વિરુદ્ધની સિરીઝમાં બે ટેસ્ટ મેચો માટે ભારતની 18 સભ્યોમાં સામેલ કરવામાં આવ્યો છે.