ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મહોમ્મદ શમી વિરૂદ્ધ પત્નીએ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે આ મામલે મોહમ્મદ શમીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે આ મામલે તપાસ થવી જોઈએ. અને તેમણે પત્નીને મેસેજ આપતા 'હ્યુ છે કે આ મામલે બંનેને બેસીને વાત કરવી જોઈએ અને આ મામલે ઘરમા બેસીને નિર્ણય લેવો જોઈએ. આ ઉપરાંત આગામી મેચમાં તેમના સિલેક્શન વિશે શમીએ કહ્યુ છે કે BCCI સમજીને નિર્ણય લેશે અને BCCIનો નિર્ણય માન્ય રાખશે.
મહત્વનુ છે કે મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નની બહારના સંબંધનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી. ત્યાર બાદ પત્ની હસીન જહાંએ મહોમ્મદ શમી વિરૂદ્ધ FIR દાખલ કરી છે.
આ વચ્ચે હસીનના ભૂતપૂર્વ પતિ સૈફુદ્દીન સામે આવ્યા છે. સૈફુદ્દીન પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના સિરીમાં રહે છે અને તેણે કહ્યું છે કે શમીએ પોતાની નિર્દોષતા સાબિત કરવી જોઈએ. તે જ સમયે તેઓ પણ માને છે કે જો આ બંને એક સાથે બેસીને વાત કરે તો પછી સમગ્ર કેસ ઉકેલી જશે.
હસીનના ભૂતપૂર્વ પતિ કહે છે કે જો મોહમ્મદ શમીએ કંઇક ખોટું કર્યું છે તો તે ચોક્કસપણે પીડાય રહ્યો છે. 2010માં હસીન જહાં અને સૈફુદ્દીન સાથે લગ્ન કર્યા પછી છૂટાછેડા થયા હતા. સૈફુદ્દીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે "હસીન જહાંને હું સ્કૂલથી પ્રેમ કરૂં છું. અમે 2002માં લગ્ન કર્યા. મારી બે છોકરીઓ પણ છે. હસીન તેના પગ પર ઊભા રહેવા ઇચ્છતી હતી.'