રોહિત શર્માએ મેચમાં 40 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, રોહિત શર્માનું માનવું છે કે, ભારતીય ટીમની જીતનો અસલ નાયક તે નહીં પરંતુ બોલર મોહમ્મદ શમી છે. રોહિત શર્માના જણાવ્યા મુજબ મોહમ્મદ શમીએ જે રીતે અંતિમ બોલમાં બાજી પલટી તેના કારણે મેચ સુપર ઓવર સુધી ગઇ અને અંતે ભારતની જીત થઇ.
મહોમ્મદ શમીને આપ્યો જીતનો શ્રેય
ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, ટીમની જીત મોહમ્મદ શમીએ નક્કી કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'મને લાગે છે કે શમીની છેલ્લી ઓવર ખૂબ મહત્વની હતી. તેના કારણે અમે મેચ જીતી હતી, મારી બે સિક્સરને કારણે નહીં.
શમીની દમદાર બોલીંગ
મોહમ્મદ શમીને છેલ્લી ઓવર આપવાની વાત કેપ્ટન વિરાટ કોહલીએ કરી હતી. ન્યુઝીલેન્ડને આ ઓવરમાં 9 રનની જરૂર હતી. આશ્ચર્યજનક વાત એ છે કે રોસ ટેલરને શમીના પહેલા બોલ પર જ સિક્સ લગાવી, ત્યારબાદ ન્યુઝીલેન્ડની જીત નિશ્ચિત લાગી. ન્યુઝીલેન્ડે આગળના પાંચ બોલમાં ફક્ત ત્રણ રન બનાવ્યા હતા. જો કે આ પછી શમીએ જબરદસ્ત વાપસી કરી હતી. બીજા બોલ પર શમીએ એક રન આપ્યો.
ત્રીજા બોલમાં શમીએ વિલિયમસનને કેએલ રાહુલની હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ, ટિમ સિફર્ટ ક્રીઝ પર આવ્યો અને શમીએ યોર્કર ફેંકી દેવાને બદલે શોર્ટ બોલ ફેંક્યો, જે તે ચૂકી ગયો. હવે ન્યુઝીલેન્ડને 2 બોલમાં 2 રન બનાવ્યા હતા. પાંચમા બોલ પર પણ શિફર્ટ ચૂકી ગયો પરંતુ તે બાય રન લેવામાં સફળ રહ્યો.