ભારતના અનુભવી બોલર મોહમ્મદ શમી અર્શદીપને સપોર્ટ કરતાં કહે છે કે સાચા દેશભક્તો આવું નથી કરતા. જાણો વિગતવાર
પાકિસ્તાન સામેની મેચમાં અર્શદીપથી છૂટ્યો હતો કેચ
અર્શદીપ થયા સોશિયલ મીડિયા પર ટ્રોલ
સાચા દેશભક્તો આવું નથી કરતા - મોહમ્મદ શામી
ભારતીય ક્રિકેટ ટીમના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઇ રહ્યા છે. આનું કારણ એ છે કે તેમણે રવિવારે પાકિસ્તાન સામે મેચમાં એક કેચ છોડ્યો હતો.
ટ્રોલિંગ દરમિયાન અમુક લોકો અર્શદીપ પર યોગ્ય કમેન્ટ્સ પણ કરવા લાગ્યા છે. અપશબ્દ કહેવા લાગ્યા અને ગંભીર આરોપો લગાવવા લાગ્યા છે. રીપોર્ટસ અનુસાર, અર્શદીપને લઈને પાકિસ્તાની ષડ્યંત્રનો પણ ખુલાસો થયો છે. જાણ થઇ છે કે પાકિસ્તાનની ISPR તરફથી અર્શદીપને ખાલિસ્તાની જણાવવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું.
કોહલી સહીત બધા ખેલાડીઓએ કર્યો અર્શદીપનો સપોર્ટ
ત્યાર બાદ વિરાટ કોહલી સહીત બધા ભારતીય ખેલાડીઓ અને પૂર્વ દિગ્ગજો પણ અર્શદીપનાં સપોર્ટમાં આવ્યા છે. સરકારે મામલાને લઈને અર્શદીપનાં પરિવારની સ્થિતિ જાણવાની કોશિશ પણ કકરી છે. પણ અ વચ્ચે ભારતીય અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે અર્શદીપને સપોર્ટ કર્યો છે અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપ્યો છે.
કોઈ જાણીજોઈને કેચ ન છોડે, પ્લેયર છે મશીન નહીં - શમી
શમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોઈ જાણીજોઈને કેચ ન છોડે. જે દેશ માટે રમે છે, તેને કેટલું દુઃખ પહોંચે છે, તે તેને જ ખ્યાલ છે. હું પહેલા આવી ભૂલ કરી ચુક્યો છું અને જો કોઈનામાં દમ છે તો, રીયલ અકાઉન્ટથી આવીને બોલે. ફેક અકાઉન્ટથઈ તો કોઈપણ બોલી શકે છે. અર્શદીપે જાણીજોઈને તો નથી કર્યું. પ્લેયર છે, મશીન નહીં. એવું તો નથી કે અર્શદીપે ક્યારેય જીવનમાં કેચ નથી છોડ્યો, સૌથી છૂટે છે.
પાકિસ્તાની ષડ્યંત્ર વિષે કહ્યું કે આ તો હંમેશા થાય છે
પાકિસ્તાનનાં ષડ્યંત્ર પર શમીએ કહ્યું કે આવું હંમેશા થાય છે. અમુક લોકો હોય છે, જે આ જ મોકાની રાહમાં હોય છે. હું તો એક જ વાત બોલીશ કે પ્લેયર્સ હંમેશા 100 ટકા આપતા હતા અને આપે છે. દેશ માટે રમનાર પ્લેયરનાં મોરલને વધારવાનું કામ કરવું જોઈએ. જ્યારે અમે સારું પ્રદર્શન કરીએ છીએ, તો અમને કોઈ ચીયર નથીં કરતુ. જે સાચા દેશભક્ત અને ફેંસ છે, તેઓ આવી નીચી હરકત નથી કરતા. આ બધું તો ચીપ લોકો કરે છે. અર્શદીપે આ લોકો પર ધ્યાન ન આપવું જોઈએ.