પાકિસ્તાન ક્રિકેટ ટીમને એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકા તરફથી 23 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં લક્ષ્યનો પીછો કરતા મોહમ્મદ રિઝવાને 55 રનની અર્ધસદી ફટકારી. પરંતુ તેમની આ ઈનિંગ ટીમ માટે હારનુ સૌથી મોટુ કારણ બન્યું.
ફાઈનલ મેચમાં પાકિસ્તાનની હાર માટે રીઝવાન બન્યાં વિલન
રીઝવાને અર્ધસદી ફટકારી તેમ છતા ટીમ હારી
મોહમ્મદ રીઝવાન પાકિસ્તાન ટીમની હાર માટે વિલન બન્યાં
ટી-20 એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને શ્રીલંકા તરફથી 23 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. રિઝવાને મેચમાં 55 રનની અર્ધસદી ફટકારી. આ સાથે રિઝવાન ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી પણ બન્યા. રિઝવાન એશિયા કપ 2022માં ભારતના સ્ટાર બેટરને પાછળ ધકેલીને 281 રન બનાવ્યાં. આ દરમ્યાન તેમણે બે અર્ધસદી પણ ફટકારી. જેમાં રિઝવાને નોટઆઉટ રહીને 78 રન ફટકાર્યા.
રિઝવાન ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટર બન્યા
જો કે, રિઝવાન ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટર જરૂર બન્યા. પરંતુ ફાઈનલ મેચમાં પાકિસ્તાનની હાર માટેના વિલન પણ તેમને મનાઈ રહ્યાં છે. ખરેખર ફાઈનલમાં રિઝવાનને 49 બોલની ઈનિંગમાં માત્ર 4 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો. રિઝવાનની ઈનિંગમાં તેનો સ્ટ્રાઈક રેટ 112.24નો રહ્યો.
રીઝવાનના કારણે પાક. ટીમના ખેલાડીઓ પર રન બનાવવાનુ દબાણ વધ્યું
શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા 171 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ સતત અંતરાલ પર પોતાની વિકેટ ગુમાવતી રહી છે. તો બીજી તરફ રિઝવાન સ્થિર થયા હતા. પરંતુ તેમની ધીમી બેટીંગના કારણે બાકીના ખેલાડીઓ પર રન બનાવવાનુ દબાણ વધી ગયુ. જેના કારણે તેમણે પણ પોતાની વિકેટ ગુમાવવી પડી. આ દરમ્યાન રિઝવાન પણ મોટા શોટ મારવાના પ્રયાસમાં આઉટ થયા અને ત્યારબાદ આખી ટીમ વિખેરાઈ ગઇ.