ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન, મોહમ્મદ અઝહરુદ્દીનને (Mohammad Azharuddin) હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ભૂતપૂર્વ કેપ્ટનને ચૂંટણીમાં 147-73 ની જંગી લીડથી એચસીએના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન HCAના પ્રમુખ તરીકે ચૂંટાયા
મેચ ફિક્સિંગમાં ઉછળ્યું હતું નામ
ક્રિકેટર બાદ વહીવટમાં તેમની ઇનિંગ્સ
નોંધનીય છે કે, ભારતના સફળ કેપ્ટનની ગણતરીમાં અઝહરે ગત સપ્તાહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ક્રિકેટર બાદ હવે તેમની વહીવટમાં આ નવી ઇનિંગ્સ છે. અઝહરે ભારત માટે 99 ટેસ્ટ અને 334 વનડે મેચ રમી છે.
મેચ ફિક્સિગમાં ઉછળ્યું હતું અઝહરનું નામ
ટેસ્ટમાં તેણે 45.03 ની સરેરાશથી 6215 રન બનાવ્યા છે જ્યારે વનડેમાં તેણે 36.92 ની સરેરાશથી 9378 રન બનાવ્યા છે. ફિક્સિંગમાં અઝહરનું નામ પણ સામે આવ્યું હતું, ત્યારબાદ બીસીસીઆઈએ તેમના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. જો કે કોર્ટે તેમને આ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. ફિક્સિંગના આક્ષેપોને કારણે તે 100 મી ટેસ્ટ મેચ રમ્યો ન હતો.
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (એચપીસીએ) ને લગભગ બે વર્ષ પછી શુક્રવારે અરુણ ધૂમલના રૂપમાં નવા પ્રમુખ મળ્યા. આ સિવાય અન્ય કારોબારી અધિકારીઓ બિનહરીફ ચૂંટાયા છે. તમામ પોસ્ટ માટે માત્ર એક જ ઉમેદવારી નોંધાઈ હતી.
2017 માં અનુરાગ ઠાકુરના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું. પ્રમુખ પદ માટે અનુરાગના ભાઈ અરૂણ ધૂમલ, ઉપપ્રમુખ માટે આર.પી.સિંઘ, સેક્રેટરી પદ માટે સુમિતકુમાર શર્મા, ખજાનચી માટે અમિતાભ શર્મા, ખજાનચી માટે અવનિશ પરમાર, કાઉન્સિલના સભ્યના બે પદ માટે વિશાલ શર્મા અને ચંદ્રશેખર મહેતાની પસંદગી થયેલ છે.
સંજય બેહરા ઑડિશાના સચિવ તરીકે ચૂંટાયા
સંજય બેહરા શુક્રવારે ઑડિશા ક્રિકેટ એસોસિએશન (ઓસીએ) ના સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે. સંજય ભૂતપૂર્વ સંઘ અધ્યક્ષ આશિર્બાદ બેહરાનો પુત્ર છે. પંકજ લોચન મોહંતી એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
સંજયે તેના હરીફ નાબા રંજન પટનાયકને હરાવ્યો હતો. મહેતાબ ખાનને જોઇન્ટ સેક્રેટરી, અક્ષયકુમાર સામંતને વાઇસ ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે વિકાસ મુખ્ય ખજાનચી બન્યા છે. ઓસીએ ચૂંટણી પહેલા ચિટફંડ કૌભાંડમાં આશિર્બાદની ધરપકડ કરવામાં આવી હતી.