ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલી પર વિવાદીત નિવેદન આપીને બાંગ્લાદેશની લેખિકા તસ્લીમા નસરીન ચર્ચામાં છે. મોઇનના પિતા તસ્લીમા પર ગુસ્સે થયા છે.
તસલીમા નસરીનનુ વિવાદિત નિવેદન
મોઇનના પિતા નસરીન પર ગુસ્સે
લેખિકા એક દિવસ મળશે તો...
Haters know very well that my Moeen Ali tweet was sarcastic. But they made that an issue to humiliate me because I try to secularize Muslim society & I oppose Islamic fanaticism. One of the greatest tragedies of humankind is pro-women leftists support anti-women Islamists.
નસરીનના નિવેદન બાદ મુનીર અલીએ કહ્યું કે, તસ્લીમાનુ ટ્વિટ જોઇને હું સદમામાં છુ, તે અરીસામાં પોતાને જોશે તો ખબર પડશે કે તેણે શું કર્યુ છે. વધુમાં તેમણે કહ્યું કે જો હુ કોઇ દિવસ તસ્લીમાને મળીશ તો તેના મોઢા પર કહીશ કે તેણે શું કર્યુ છે. હું ખરેખર ગુસ્સામાં છુ પણ હું જો ગુસ્સા પર કાબુ નહી રાખુ તો તે તેમના હાથમાં રમવા જેવુ લાગશે.
What a crap comment! Judge Moeen for his on field achievement! Applaud or criticize him for his cricketing performance. But don’t behave like a bigot & abuse him for his beard or for his looks!
સ્વીડનની નાગરિકતા સ્વીકારી ચૂકેલી તસ્લીમા નસરીન આજકાલ પોતાના એક નિવેદનને લઈને વધુ એક વાર ચર્ચામાં છે, મહત્વનું છે કે આ વખતે તેમણે ઈંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અલીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે જો મોઈન અલી ક્રિકેટની સાથે વ્યસ્ત ન હોત તો તે સીરિયા જઈને આતંકી બની જાત.
Sarcastic ? No one is laughing , not even yourself , the least you can do is delete the tweet https://t.co/Dl7lWdvSd4
મહત્વનું છે કે મોઈન અલી આ વખતે IPL 2021 માં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ તરફથી રમવાનો છે, વચ્ચે એક એવી જાણકારી બહાર આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે CSK ની જર્સી પરથી મોઈને બીયરનો લોગો હટાવવાની વાત કરી હતી. જો કે ટીમના સીઇઓ કાશી વિશ્વનાથને કહ્યું હતું કે મોઈન અલીએ આવી કોઈ પણ માંગણી નથી કરી.
Reporting this tweet for spreading violent and hatred. Kindly respect personal choices untill it affects you as an individual.
Mam,if it doesn't affects you at any level then refrain commenting or feeding them.We look upto you for your talent, don't let it take you down. Sigh!!
આ ટ્વિટને લઈને જો કે તસ્લીમા નસરીનને યુઝર્સ ઘણું સંભળાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આવી કોમેન્ટ કરવી તે સહનશક્તિની બહાર છે અને કોઈ યુઝર્સે કહ્યું કે તેમણે ખેલાડીને તેના ફિલ્ડ અચિવમેન્ટથી જજ કરવાની સલાહ આપી હતી.
નોંધનીય છે કે IPL 2020 માં મોઈન અલી RCB ટીમનો ભાગ હતા પણ મીની ઓક્શનના સમયે RCB એ તેમને રીલીઝ કરી દીધા હતા, IPL 2021 માં CSK એ 7 કરોડમાં તેમને ખરીદ્યા છે.