ઇંગ્લેન્ડનું ન્યૂઝપેપર ધ ગાર્ડિયનની સાથે ખાસ વાતચીત કરતા મોઇન અલીએ કહ્યું કે ઇંગ્લેન્ડની વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમ દબાણમાં રહેશે.
વર્લ્ડકપમાં રવિવારે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે મેચ થવાની છે. સેમીફાઇનલની રેસમાં બની રહેવા માટે ઇંગ્લેન્ડની આ મેચ કોઇ પણ સંજોગે જીતવી પડશે. જ્યારે આ મેચને જીતીને ટીમ ઇન્ડિયા સીધા સેમિફાઇનલમાં પહોંચી જશે. મેચ પહેલા ઇંગ્લેન્ડના ઑફ સ્પિનર મોઇન અલીએ ટીમ ઇન્ડિયાના કેપ્ટનને રસ્તામાં આઉટ કરવાનો પડકાર આપ્યો છે.
ઇંગ્લેન્ડના ન્યૂઝપેપર સાથે વાતચીત કરતાં મોઇન અલીએ કહ્યું કે ઇંગ્લેન્ડની વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમ દબાણમાં રહેશે. એને કહ્યું, 'વિરાટ કોહલી જાણે છે કે એને ભારત માટે રન બનાવવાનો છે. જ્યારે હું અહીંયા એને આઉટ કરવા માટે છું. વિરાટને આઉટ કરીને પણ તમે એના મિત્ર બની રહી શકો છો. હું વિરાટને અંડર 19 ક્રિકેટથી ઓળખું છું.' જણાવી દઇએ કે વર્ષ 2018 અને 2019 ના આઇપીએલમાં મોઇન અલી રૉયલ ચેલેન્જર્સની ટીમમાં વિરાટ કોહલીની સાથે હતો.
વિરાટ કોહલીની વિરુદ્ધ મોઇન
જો ટેસ્ટ, વનડે અને ટી-20 ફોર્મેટની વાત કરીએ તો મોઇન અલીએ વિરાટ કોહલીને મળીને 7 વખત આઉટ કર્યો. મોઇને જે બેટ્સમેનને સૌથી વધારે શિકાર કર્યો છે એમાં વિરાટ બીજા નંબર પર આવે છે. આ લિસ્ટમાં વેસ્ટઇન્ડિઝના કાર્લોસ બ્રેથવેટ પહેલા નંબર પર છે. મોઇને એને 8 વખત આઉટ કર્યો છે.
જો કે વિરાટ કોહલીને રોકવો મોઇન અલી માટે સરળ નહીં રહે. વિરાટ હાલ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી 63.2 ની સરેરાશથી એને 316 રન બનાવ્યા છે, જેમાં ચાર હાફ સેન્ચુરી સામેલ છે. ખાસ વાત એ છે કે વિરાટનો સ્ટ્રાઇક રેટ 98.44 નો છે.
વર્લ્ડકપમાં મોઇનનો જાદુ અત્યાર સુધી બોલિંગ કે બેટિંગથી જાદુ દેખાડ્યો નથી. અત્યાર સુધી એને 5 મેચોમાં માત્ર 5 વિકેટ લીધી છે. જ્યારે બેટિંગના મોર્ચા પર એને 75 રન બનાવ્યા છે.