આજે દેશને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના પ્રામાણિક કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં મોટો ભાગ ભજવે છે. જ્યારે દેશના પ્રામાણિક કરદાતાનું જીવન સરળ બને છે, તે આગળ વધે છે, ત્યારે દેશનો વિકાસ પણ થાય છે, દેશ પણ આગળ વધે છે.
પીએમ મોદી શરૂ કર્યું, ''ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશન: ઓનરિંગ ધ ઓનેસ્ટ'' પોર્ટલ
સુધારા નીતિ આધારિત હોવા જોઈએ, ટુકડાઓમાં નહીં -મોદીનું નિવેદન
મોદીએ કહ્યું, Complexity હોય ત્યાં Compliance પણ હોય છે મુશ્કેલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક નવા ઓનલાઈન પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના પ્રામાણિક કરદાતાઓ દેશ નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જ્યારે તેમનું જીવન સરળ બને છે અને તે આગળ વધે છે, ત્યારે જ ભારત સક્ષમ બની શકે છે, વિકસિત બને અને આગળ વધી શકે છે.
મજબુરીમાં લેવાતા નિર્ણયોને સુધારા ગણાવાતા હતા
કોંગ્રેસ સરકારની ખામીઓ ગણાવીને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'એક સમય એવો હતો કે આપણે સુધારાઓ વિશે ઘણી વાતો કરતા. જયારે કેટલીક વાર મજબૂરી હેઠળ કેટલાક નિર્ણયો લેવામાં આવતા, તો કેટલાક દબાણ હેઠળ લેવાતા, પછી પાછળથી તેમને સુધારાના ટેગ અપાતા. જેને લીધે આપણે અપેક્ષિત પરિણામો મેળવી શક્યા નહોતા. હવે આ વિચારધારા અને અભિગમ બંને બદલાયા છે.
સુધારણા એ સતત ચાલતી પ્રક્રિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આપણા માટે રિફોર્મ એટલે કે, રિફોર્મ નીતિ આધારિત હોવી જોઈએ, ટુકડાઓમાં નહીં, હોલિસ્ટિક હોવી જોઈએ એટલે કે સર્વબાજુઓનું વિચાર કરીને પરિપૂર્ણ હોવી જોઈએ, અને એક રિફોર્મ બીજા રિફોર્મનો આધાર હોવો જોઈએ, નવા રિફોર્મ માટે માર્ગ બનાવવો જોઈએ. આમ એક સુધાર પછી બીજો એમ સુધારણા સતત ચાલુ રહેવી જોઈએ, કેમ કે તે એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એક સુધારા પછી અટકી જવું એ યોગ્ય નથી.
કરદાતાઓને રહે છે સરળતા
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'જટિલતા હોય ત્યાં પાલન પણ મુશ્કેલ છે. ઓછામાં ઓછું ત્યાં કોઈ કાયદો હોવો જોઈએ, જો કાયદો ખૂબ સ્પષ્ટ છે, તો દેશની સાથે કરદાતા પણ ખુશ છે. આ કામ થોડા સમયમાં જ કરવામાં આવ્યું છે. હાલની જેમ જીએસટી પણ ડઝનેક ટેક્સની જગ્યાએ એક જ ટેક્સ બનીને આવ્યો છે જેથી કરદાતાઓને સરળતા રહે છે.