મોદી સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂરા થવા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ડિજીટલ પત્રકાર પરિષદમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ અંગેની જાણકારી આપી. પીએમ મોદીને શુભેચ્છા આપતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે બીજો કાર્યકાળના પહેલા વર્ષ પુરા થવા પર તેમનો મારી તેજમ કરોડો કાર્યકર્તાઓ તરફથી હાર્દિક શુભેચ્છા તેમજ શુભકામના પાઠવું છું.
જેપી નડ્ડાએ કહ્યું કે આજે જ્યારે બીજા કાર્યકાળમાં એક વર્ષ પુરુ કરી રહ્યાં છે ત્યારે વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. પીએમ મોદી સ્વદેશી-સ્વાવલંબ સાથેનો મંત્ર લઇને આગળ વધી રહ્યાં છે. અન્ય દેશોની સરખામણીએ ભારતે પીએમ મોદીની અધ્યક્ષતામાં કોરોના સામેની લડાઇ એ રીતે લડી જેના કારણે ભારતમાં સ્થિતિ કાબુમાં છે.
લોકડાઉનના સમયમાં ભારતના કોરોના ટેસ્ટની ક્ષમતા માત્ર 10,000 ટેસ્ટ પ્રતિદિવસ હતી અને આજે એ ક્ષમતા 1.60 લાખ ટેસ્ટ પ્રતિદિવસ થઇ ગઇ છે. આજે દેશમાં અંદાજે 4.50 લાખ પીપીઇ કીટ પ્રતિદિવસ દેશમાં બની રહી છે. જ્યારે 58,000 વેન્ટિલેટર્સ દેશમાં બની રહ્યાં છે.
This has been a year of accomplishments and we have also faced unimaginable challenges. PM led from the front to give a vision to the country and managed the #coronavirus crisis well: JP Nadda, BJP President on one year of Modi govt's second tenure pic.twitter.com/aKv3PVlQOB
જેપી નડ્ડાએ કહ્યું કે 1.70 લાખ કરોડનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ દેવામાં આવ્યું. જેના માધ્યમથી 80 કરોડ લોકોને રાશનની વ્યવસ્થા કરવામાં આવી. 20 કરોડ મહિલાઓને જનધન ખાતાઓમાં 500 રૂપિયાની મદદ, વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાયતા અને મનરેગા મજદૂરીમાં વૃદ્ધિ કરવામાં આવી.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કરવામાં આવ્યું. આ પેકેજના માધ્યમથી પ્રયત્ન થયો કે કેવી દરેક સેકટર આત્મનિર્ભર બની મુખ્યધારામાં ઉભુ રહે અને તેમાં છૂટછાટ આપવામાં આવે.
જેપી નડ્ડાએ કહ્યું કે કોરોના સામેની લડાઇમાં 100થી વધારે દેશોને મદદ કરતાં તેઓને દવા પણ પહોંચાડવામાં આવી. આ લડાઇમાં પ્રધાનમંત્રીના આહવાનને દેશે સાંભળ્યો અને તેનું સમર્થન કર્યું. જેને લઇને હું દેશની જનતાનો ધન્યવાદ માનું છું.