કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઈડીની પૂછપરછનો વિરોધ કરી રહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શેખ હુસૈને પીએમ મોદી પર વિવાદીત ટીપ્પણી કરી હતી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શેખ હુસૈન ભાન ભૂલ્યા
વિરોધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદી પર કરી વિવાદીત ટીપ્પણી
ભાજપે એફઆઈઆર દાખલ કરાવી
ભાજપની ધમકી, ધરપકડ નહીં થાય તો કરીશું ઉગ્ર આંદોલન
કોંગ્રેસ નેતા શેખ હુસૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે. નાગપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ
ના વિરોધ પ્રદર્શન દરમિયાન શેખ હુસૈને એવું કહ્યું કે જેવી રીતે કૂતરાનું મોત થાય છે તેવી રીતે પીએમ મોદીનું પણ મોત થશે. તેમણે પીએમ મોદીને મોતની શુભેચ્છા પાઠવી હતી. મહારાષ્ટ્રના નાગપુરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન શેખ હુસૈને પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરી હતી.
In a protest outside ED office in Nagpur, Congress leader and Former City President Sheikh Hussain threatened PM Modi by saying - "Narendra Modi will die a dog's death".
— Maha Vinash Aghadi ᴾᵃʳᵒᵈʸ (@MVAGovt) June 15, 2022
શું કહ્યું હતું કોંગ્રેસ નેતાએ
કોંગ્રેસ નેતા શેખ હુસૈને કહ્યું હતું કે જેવી રીતે કૂતરાનું મોત થાય છે તેવી રીતે પીએમ મોદીનું પણ મોત થશે. આ ઘટના બાદ ભાજપ ખળભળી ઉઠ્યો છે અને તેણે કોંગ્રેસ નેતાની સામે ફરિયાદ દાખલ કરાવી છે.
ભાજપે દાખલ કરાવી એફઆઈઆર
કોંગ્રેસ નેતાના વિવાદીત નિવેદન બાદ ભાજપ ચોંકી ઉઠ્યો હતો અને તેણે તાત્કાલિક કોંગ્રેસ નેતાની સામે એફઆઈઆર દાખલ કરાવી છે. ભાજપે સીધી ધમકી આપી છે કે જો કોંગ્રેસ નેતાની ધરપકડ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
ઈડીએ રાહુલ ગાંધીની ત્રીજા દિવસે કરી પૂછપરછ
નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ત્રીજા દિવસે પૂછપરછ કરી હતી અત્યાર સુધી તેમની 25 કલાકથી વધારે પૂછપરછ થઈ ચૂકી છે. તેમની સામે ઈડી મની લોન્ડરિંગનો કેસ ચલાવી રહી છે.