જર્મનીની પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ સોમવારે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. લગભગ એક કલાકના પોતાના સંબંધોનમાં તેમણે કોંગ્રેસ પર બરાબરના પ્રહારો કર્યા હતા.
જર્મનીના પ્રવાસે ગયેલા પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ દેશવાસીઓ માટે કહી આ વાત
કોંગ્રેસ પર કર્યો આડકતરો પ્રહાર
જર્મનીની પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ સોમવારે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. લગભગ એક કલાકના પોતાના સંબંધોનમાં તેમણે કોંગ્રેસ પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા એક બટન દબાવીને ખતમ કરી દીધું હતું. ભારતે મતદારોને 30 વર્ષ બાદ 2014માં પૂર્ણ બહુમતની સરકાર ચૂંટી, ભારતના મતદારોને પોતાના વોટની તાકાત ખબર છે. ભારત હવે સમય નહીં વેડફે.
જરૂરી ફેરફાર ન થતાં દેશ પાછળ રહી ગયો
પીએમે પોતાના સંબોધનમાં દેશ જ્યારે આઝાદીના સો વર્ષનો જશ્ન મનાવી રહ્યો હશે, ત્યારે જે ઉંચાઈ પર હશે, તેનો ટાર્ગેટ નિર્ધારિત કરીને ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ભારતમાં ક્યારેય સાધનોની કમી નથી, ન તો ક્યારેય સંસાધનોની કમી રહી છે. એક દિશા નક્કી કરી, પણ ઘણા બધા પરિવર્તનો જે થવા જોઈએ, તે થયા નથી અને કોઈના કોઈ કારણોથી આપણે પાછળ રહી ગયા.
દેશવાસીઓને આત્મવિશ્વાસ કચડી નાખ્યો
પીએમ મોદીએ કહ્યું કે, દેશવાસીઓનો આત્મવિશ્વાસ કચડાયેલો હતો, તેની ભરપાઈનો એક જ ઉપાય હતો, જન જનમાં આત્મગૌરવ ભરવું, તેના માટે જનતામાં સરકાર પ્રત્યે વિશ્વાસ બનાવવો જરૂરી હતો, અંગ્રેજોની પરંપરાના કારણે વિશ્વાસ ખોઈ દીધો. સુધારા માટે ઈચ્છાશક્તિ જરૂરી હતી. અહીં જરૂર છે, સરકારનો અભાવ ન હોય, જ્યાં જરૂર ન હોય ત્યાં સરકારનો પ્રભાવ ન હોય. આપણા લોકોના જીવનમાં દખલ હટી રહી છે. તેમણે કહ્યું કે, ટ્રાંસફઓર્મ અને ડેવલપમેંટની સાથે રિફોર્મની પણ ચર્ચા હોય અને કહ્યું કે, આના માટે જનતાની ભાગીદારી જરૂરી છે.
રાજીવ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ
પીએમ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર ટાર્ગેટ કરતા કહ્યું કે, હવે કોઈ પ્રધાનમંત્રી નહીં કહી શકે કે, હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું અને લોકોને 15 પૈસા જ મળે છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે, એ ક્યો પંજો હતો જે 85 પૈસા લઈ જતો હતો ?