ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે.
સ્વામીએ PM મોદીને આત્મનિર્ભર બનવા કહ્યું છે અને અમેરિકાની નવી બાયડન હેરિસ સરકારની ખુશામત ન કરવાની સલાહ આપી છે. સ્વામીએ દાવો કર્યો છે કે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા કમલા હેરિસ 'હિન્દુ રાષ્ટ્રવાદ'ના વિરોધી છે.
ભાજપના રાજ્યસભાના સાંસદે સોમવારે ટ્વિટ કરીને લખ્યું કે, "મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી બાયડન-હેરિસ સરકારને ભારત આમંત્રિત કરવામાં આવશે, કેન્દ્ર સરકારે તેમની ખુશામત ન કરવી જોઈએ. ભારતમાં મામલે બાયડન હેરિસની વિચારધારાને અનુસરશે અને હેરિસ વૈચારિક રીતે હિન્દુ રાષ્ટ્રવાદના વિરોધી છે. અર્થાત તેઓ ભાજપના વિરોધી છે. એવામાં મોદીએ આત્મનિર્ભર થવાની જરૂર છે.
Indian Government should stop fawning on the new Biden Harris Govt by running to invite them to India as reported by media.On India affairs Biden will go by Kamala Harris and she is ideologically against “Hindu nationalism” which decoded means BJP. Modi must practice Atmanirbhar.
ભાજપના નેતાના આ ટ્વીટ ઉપર યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું હતું, મને નથી લાગતું કે તેઓ હિન્દુ ધર્મ વિરોધી છે. તેઓ લિબરલ છે. બધી રીતે ભારત એક એવી ભૂમિ છે જ્યાં ધાર્મિક સ્વતંત્રતા છે. મને નથી લાગતું કે હિન્દુ ધર્મને સૌથી મહત્વપૂર્ણ ધર્મ માનવો જોઈએ. હું કહું છું કે આપણે કોઈની પણ પૂજા કરતા હોઈએ, અંતમાં આપણે બધા એક છીએ.
આ અગાઉ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટ વિશે કહ્યું હતું કે PM મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વિટ કરીને ભારતના સારા મિત્ર રહેવા બદલ તેમનો આભાર માને તો સારું રહેશે. આ સાથે, પ્રજાસત્તાક દિન નિમિત્તે, તેમને પરેડમાં વિશેષ મહેમાન તરીકે તેમજ બીટિંગ ધ રીટ્રીટ તરીકે ભારત આવવાનું આમંત્રણ આપે તે સારું કહેવાશે.
સુબ્રમણ્યમ સ્વામીએ એમ પણ કહ્યું હતું કે મેં ભારતીય જનતા પાર્ટીની સરકારને બંધારણીય માર્ગ બતાવ્યો છે. હું ઘોડા માટે પાણી લાવી શકું છું પણ તેને પીવડાવી શકતો નથી.