નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રેશન (NRC)ના વિરુદ્ધ પ્રદર્શનો પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના પૂર્વ નેતા રાહુલ ગાંધીએ રવિવારે આરોપ લગાવ્યો કે, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ દેશના લોકોમાં ભાગલા પાડી રહ્યા છે અને પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ઘૃણાની પાછળ છુપાઇ રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ મોદી અને અમિત શાહ દેશના લોકોમાં ભાગલા પાડી રહ્યા છે
પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ઘૃણાની પાછળ છુપાઇ રહ્યા છે
કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સોમવારે રાજઘાટ પર સત્ચાગ્રહ કરશે
તેઓએ ટ્વિટ કરી કહ્યું, ભારતના પ્રિય યુવાઓ, મોદી અને શાહે આપના ભવિષ્યને બરબાદ કરી દીધું છે. તેમણે બેરોજગારી અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને આપના ગુસ્સાનો સામનો નથી કરી શકતા. આ કારણે જ આપણા પ્રિય ભારતના ભાગલા પાડી રહ્યા છે અને ઘૃણાની પાછળ છુપાઇ રહ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણે દરેક ભારતીય પ્રતિ સ્નેહ બતાવીને તેમને પરાજિત કરી શકીએ છીએ. કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાને 'ગેરબંધારણીય' બતાવતા તેનો ખુલીને વિરોધ કરી રહી છે. તેણે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સોમવારે રાજઘાટ પર સત્ચાગ્રહ કરવાનો નિર્ણય કર્યો છે, તેમા ઘણા મોટા નેતાઓ સામેલ થઇ રહ્યા છે.
Dear Youth of 🇮🇳,
Modi & Shah have destroyed your future.They can’t face your anger over the lack of jobs & damage they’ve done to the economy. That’s why they are dividing our beloved 🇮🇳& hiding behind hate.
We can only defeat them by responding with love towards every Indian.
નોંધનીય છે કે, આ પહેલા નાગરિકતા સંશોધન કાયદાને લઇને યોજાયેલી રેલીમાં રાહુલ ગાંધીએ ખુદના વિશે કહ્યું હતું કે તેઓ 'રાહુલ સાવરકર' નથી 'રાહુલ ગાંધી' છે. કહ્યું કે બીજેપી સરકારથી તેઓ નથી ડરતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે, મોદી સરકાર દેશને બરબાદીના રસ્તા પર લઇ જઇ રહી છે. દેશની જનતાએ આ વાતને સમજવા પડશે. તેઓએ કોંગ્રેસ સરકારના વિકાસ અંગે જણાવતા કહ્યું કે, તેમના નેતાઓએ પોતાના બલિદાન આપી દેશને પ્રગતિના પથ પર આગળ વધાર્યો હતો.