નવી દિલ્હી: ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર પર સવાલોમાં ઘેરાયા છે. પાકિસ્તાનના હાથે મળી શરમજનક હાર પર કોઇ બીજાએ નહીં પણ મોદી સરકારના એક મંત્રીએ સવાલ ઉઠાવ્યો છે. મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન રામદાસ અઠાવલેએ આ મેચને ફિક્સ હોવાની આશંકા દર્શાવી છે.
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે શનિવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સિવાય ટીમના બાકી ખેલાડીઓ પર પાકિસ્તાન સામે ફાઇનલ મેચ ફિક્સ કરવાનો આરોપ લાગ્યો છે. તેમણે આ મામલે તપાસ કરવાની માંગ કરી છે.
ભારતને 18 જૂનની ફાઇનલમાં પાકિસ્તાને એકતરફા મુકાબલામાં 180 રનથી શરમજનક હાર આપી હતી. આઇસીસીના કોઇ પણ ફાઇનલમાં રનોની શરતે સૌથી મોટી જીત હતી. વડોદરા જીલ્લા અધિકારીઓમાંને મળ્યા પછી શુક્રવારે અઠાવલેએ સંવાદદાતા કહ્યું 'કોચ અનિલ કુંબલે કોહલી અને યુવરાજ સિંહ અને બાકી ખેલાડીઓએ આખા ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ કરી હતી. આવા શાનદાર ખેલાડીઓ હોવા છતાં આપણે પાકિસ્તાન જેવી ટીમ સામે કેમ હારી શકીએ?'
અઠાવલેએ કહ્યું કે 'તેમણે ટૂર્નામેન્ટમાં ઘણી સદીઓ ફટકારી. ફાઇનલમાં તેમને શું થઇ ગયું હતું. એવું લાગે છે કે હારવા માટે રમ્યા હોય. એવું લાગતું હતું કે આ મેચ ફિક્સ હતી. હું આની તપાસ કરવવા માંગુ છું.' સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રીએ ક્રિકેટ અને બીજી રમતોમાં દલિત સમુદાય માટે 25 ટકા આરક્ષણની માંગ કરી છે.
તેમણે કહ્યું કે 'જેમણે પ્રદર્શન નથી કર્યું તેમને બહાર કરી દેવા જોઇએ અને દલિત સમુદાયના ક્રિકેટ ખેલાડીઓને મોકો મળવો જોઇએ. હું ક્રિકેટ સિવાય બાકીની રમતોમાં 25 ટકા આરક્ષણની માંગ કરૂ છું.'