કોરોનાની બીજી લહેરમાં અસંવેદનશીલ બનવાનો મોદી સરકાર પર આરોપ
સૌથી પહેલી અસર યોગી આદિત્યનાથ પર પડી શકે છે
કોરોનાની બીજી લહેરમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાતમાં ઘણો મોટો ઘટાડો થયો છે તેની 7 મોટી અસર પડશે.
1. યોગી આદિત્યનાથને સૌથી વધારે નુકશાન થઈ શકે
બંગાળની હાર બાદ ભાજપ નેતાગીરીને હવે યુપી ચૂંટણીની ચિંતા સતાવવા લાગી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુશ્કેલી વધી શકે છે. કોરોનાની પહેલી લહેરમાં યોગી આદિત્યનાથ પ્રવાસ મજૂરો અને કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરીને ખ્યાતિ પામ્યા હતા પરંતુ બીજી લહેરમાં યોગીની આ શાખ ધોવાઈ ગઈ. તેમની પ્રતિષ્ઠાને પણ મોટું નુકશાન થયું છે.
2. યુપીના સાથે સત્તા વાપસીના પણ પડકારો છે
2022 માં યુપીની સાથે ગોવા, ગુજરાત તથા હિમાચલપ્રદેશમાં પણ સત્તા વાપસીમાં અડચણ પેદા થઈ શકે છે. અને આને કારણે 2024 ની ચૂંટણીમાં પણ ભાજપની સંસદીય બેઠકો પર અસર પડી શકે છે.
3. વિપક્ષ વધારે આક્રમક થઈ શકે છે
મોદી સરકારની સામે વિપક્ષનો આત્મવિશ્વાસ વધ્યો છે તે તો જોઈ શકાય છે. બંગાળની ચૂંટણી જીત્યા બાદ મમતા બેનરજીના તેવર પણ જોવા મળ્યા છે. અને મોદી સરકારની વેક્સિનેશન પોલીસીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ઉગ્ર પ્રહારો કરી રહ્યાં છે.
4, ઓપરેશન લોટસ અસરવિહીન થતું દેખાયું
બ્રાન્ડ મોદી નબળી પડવાનું ભાજપને જે સૌથી મોટું નુકશાન એ થશે કે ઓપરેશન લોટસ જેવી રાજકીય મિસાઈલો પણ મિસફાયર થઈ શકે છે. અત્યાર સુધી તો ભાજપ આ ઓપરેશન દ્વારા ચૂંટાયેલી સરકારોને નબળી પાડવાનું કામ કરતો હતો.
5. ચૂંટણીમાં તોડફોડ ઓછી જોવા મળશે
ચૂંટણીઓ પહેલા ભાજપ રાજકીય વિરોધીઓની વચ્ચે તોડફોડ કરાવતી રહે છે પરંતુ હવે જ્યારે તેને કોઈ પણ સારાની આશા રહી નથી ત્યારે તેઓ શા માટે ભાજપ તરફ આકર્ષિત થશે.
6. નેતૃત્વ જેને નાપસંદ કરે છે, તેમને રાહત જણાશે
પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા ઓછી થવાની અસર પાર્ટી પર તો થવાની જ છે પરંતુ સંઘ પરનો દબદબો પણ ઓછો થશે. દત્તાત્રેય હોસબોલેના પ્રમોશન બાદ મોદી માટે સંઘમાં એક કન્ફર્ટ ઝોન ઊભો થયો હતો.
7. મોદી સરકારે કડક વલણથી પીછહેઠ કરવી પડી શકે છે
2019 માં તો વધારે બેઠકો મળ્યા બાદ ભાજપ સરકાર હવામાં ઉડતી હતી પરંતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં અવારનવાર ઝટકા ખાધા ાદ કોરોના સંકટમાં હાથ પર હાથ રાખીને બેસી રહેવાનું તથા ખામોશી ધારણ કરી લેવાનું કામ નેતૃત્વ પર ભારે પડી શકે છે.