મોદી સરકાર અંદાજે 50 કરોડ દેશવાસીઓને સામાજિક સુરક્ષા હેઠળ લાવવાની તૈયારીમાં છે. એનાં માટે સરકારે શ્રમ મંત્રાલયનાં એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કે જેની ઉપર અંદાજે રૂ.2 લાખ કરોડ ખર્ચ થશે. આ સરકારની મોદીકેર બાદ બીજી સૌથી મોટી યોજના છે.
ખેડૂતોનો પણ થઇ જશે સમાવેશઃ
આ સામાજિક સુરક્ષા હેઠળ ફેક્ટરીઓમાં કામ કરવાવાળા કર્મચારીઓ સિવાય ખેડૂતો પણ આની હેઠળ આવી જશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા મંજૂરી મળ્યા બાદ નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલય આની માહિતીને તૈયાર કરશે. પ્રસ્તાવનાં લાગુ થઇ ગયા બાદ કુલ 40 ટકા નબળા ઉંમરનાં લોકોને આનો સૌથી વધુ ફાયદો મળશે.
60 ટકા જનતાને કરવું પડશે અંશદાનઃ
આ પ્રસ્તાવનાં આધારે 60 ટકા જનતા કે જે ઓછી આવક જૂથથી ઉપર છે તેઓને પોતાનાં ખિસ્સામાંથી પૂરા અથવા પછી અડધું અંશદાન કરવું પડશે. હાલમાં 50 કરોડ લોકો ખેતી સાથે જોડાયેલાં છે. જેનાં અંશદાનને સરકાર પૂરી રીતે વ્યય કરશે.
3 ચરણમાં પૂર્ણ થશે કવરઃ
સૂત્રોનાં જણાવ્યા અનુસાર સોશિયલ સિક્યુરિટી કવરનો લાભ ત્રણ ચરણોમાં મળશે. પહેલાં ચરણમાં ગરીબોને શામેલ કરવામાં આવશે. ત્યાર બાદનાં ચરણોમાં નિમ્ન અને મધ્યમ ઉંમરનાં લોકોને 10 વર્ષની અંદર શામેલ કરી દેવામાં આવશે. આ કવરને આધારે લોકોને રિટાયરમેન્ટ સ્વાસ્થ્ય વૃદ્ધાવસ્થા દિવ્યાંગતા બેરોજગારી અને ગર્ભાવસ્થાનું કવર આપવામાં આવશે.
મોદી કેરમાં 5 લાખનો સ્વાસ્થ્ય વીમોઃ
ઓબામા કેર હેઠળ મોદી સરકારે પોતાનાં અંતિમ પૂર્ણ કાલિક બજેટમાં આયુષ્માન ભારત નામની ફ્લૈગશિપ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જેને "મોદી કેર" પણ કહેવમાં આવે છે. નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ અંતર્ગત ભારતનાં 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો વીમા ઉપલબ્ધ કરાવવામાં આવશે.