ભારતે પીએમ મોદીની પ્રસ્તાવિત થયેલી તુર્કીની યાત્રાને રદ્દ કરી છે. મોદીએ એક મોટા નિવેશ સંમેલનમાં ભાગ લેવા 27-28 ઓક્ટોબરે સઉદી અરબ જઈ રહ્યા હતા. પરંતુ હવે આ યાત્રા તુર્કીએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે સમર્થન આપતાં રદ્દ કરવામાં આવી છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાનની મદદથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની અને તુર્કીના ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) બેઠકમાં ખુલીને પાકિસ્તાનનો સાથ આપ્યા બાદ ભારતના પ્રધાનમંત્રી મોદીએ પ્રસ્તાવિત તુર્કીની યાત્રાને રદ્દ કરી છે.
પીએમ મોદી આ મુદ્દા પર કરવાના હતા ચર્ચા
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી એક મોટા નિવેશ સંમેલનમાં ભાગ લેવા 27-28 ઓક્ટોબરે સઉદી અરબ જઈ રહ્યા હતા. પરંતુ હવે તેઓ આ મુલાકાતે જશે નહીં. હાલમાં તુર્કી અને ભારત વચ્ચે કોઈ ખાસ સારા સંબંધ નથી. પીએમ મોદી આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે ટ્રેડ અને ડિફેન્સ પર ચર્ચા થઈ શકે તેવી આશા હતી પણ તેની પર હવે પૂર્ણ વિરામ મૂકાયું છે.