કોરોનાની રસી સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીરને લઈને કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે નોટિસ મોકલીને જવાબ માંગ્યો
નરેન્દ્ર મોદીની તસવીર વગર કોરોનાની રસીના સર્ટિફિકેટની માંગ કરવામાં આવી
વિદેશમાં સર્ટિફિકેટ પર તે તમામ જરુરી જાણકારી આપે છે ન કે સરકારના પ્રમુખોની તસ્વીરો
કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે નોટિસ મોકલીને જવાબ માંગ્યો
કેરળ હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર પાસે આ અરજી પર નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર વગર કોરોનાની રસીના સર્ટિફિકેટની માંગ કરવામાં આવી હતી. કોટ્ટાયમ નિવાસી અરજદાર એમ પીટરે તર્ક આપ્યો છે કે વર્તમાન રસી પ્રમાણ પત્ર એક નાગરિકના મૌલિક અધિકારોનું ઉલંઘન કરે છે. પ્રધાનમંત્રીની તસવીર વગર પ્રમાણ પત્રની માંગ કરી હતી.
વિદેશમાં સર્ટિફિકેટ પર તે તમામ જરુરી જાણકારી આપે છે ન કે સરકારના પ્રમુખોની તસ્વીરો
પોતાની અરજી દાખલ કર્યા બાદ ન્યાયમૂર્તિ પીબી સુરેશ કુમારે કેન્દ્ર અને રાજ્ય સરકારો બન્નેને બે અઠવાડિયામાં પોતાના વિચાર નોંધાવાના નિર્દેશ કર્યા છે. અરજદારે સંયુક્ત રાજ્ય અમેરિકા, ઈન્ડોનેશિયા, ઈઝરાઈલ અને જર્મની સહિત વિભિન્ન દેશોમાં રસીકરણ પ્રમાણ પત્ર પણ પ્રસ્તુત કર્યા. જેમાં કહેવામાં આવ્યું છે કે સર્ટિફિકેટ પર તે તમામ જરુરી જાણકારી આપે છે ન કે સરકારના પ્રમુખોની તસ્વીરો. અનેક દેશોના પ્રવાસ કરનારા આ અરજદારે એમ કહ્યું કે પ્રવાસ દરમિયાન પ્રમાણ પત્ર દેખાડતા સમયે પીએમની તસવીરની કોઈ પ્રાસંગિતા નથી. જો સરકાર દ્રડ છે તો લોકોને કોઈ ફોટા વગર પ્રમાણ પત્ર આપવાનો વિકલ્પ આપવો જોઈએ.
આ વન મેન શો છે અને સમગ્ર અભિયાન એક વ્યક્તિનો પ્રોજેક્ટ કરવાનો છે- વકીલ
એડવોકેટ અજીત જોયના માધ્યમથી દાખલ અરજીમાં તેમણે કહ્યું કે મહામારીની વિરુદ્ધ લડાઈમાં જનસંપર્ક અને મીડિયા અભિયાનોમાં ફેરવાઈ ગયું છે. આનાથી એવું સાબિત થાય છે કે આ વન મેન શો છે અને સમગ્ર અભિયાન એક વ્યક્તિનો પ્રોજેક્ટ કરવાનો છે. આ સરકારી ખજાનાની કિંમત પર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમને પીએમના ફોટા વગર સર્ટિફિકેટ લેવાનો સંપૂર્ણ અધિકાર છે.
કેન્દ્રનો તસવીર મુદ્દે લૂલો બચાવ
અરજીમાં દલીલી છે કે અરજદારની પ્રાઈવેટ સ્પેસમાં તસવીર એક બીન જરુરી ઘૂસણખોરી છે. કેન્દ્ર સરકાર અથવા પીએમ કંઈ ખાસ કરવાનો દાવો નથી કરી શકતા. કેમ કે આ તેમનું કર્તવ્ય છે. આની પહેલા કેન્દ્ર સરકારે પ્રમાણ પત્રમાં તસવીરને સામેલ કરવાના પોતાનો બચાવ કરતા કહ્યું કે પીએમની તસવીર તેમના શબ્દોની સાથે સામાન્ય જાગરુક્તા અને કોવિડ ઉપયુક્ત વ્યવહાર પેદા કરવામાં મદદ કરે છે. જ્યારે બે મહિના પગેલા ઉચ્ચ સદનમાં એક સવાલ આવ્યો તો સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી બીપી પવારે કહ્યું કે જાગરુક્તાને પ્રોત્સાહન આપવા માટે આ આદર્શ છે.