પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક કાર્યક્રમમાં શનિવારે જયપુરમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. એક ખાનગી વિશ્વવિદ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં સિંહ અને અન્ય અતિથિ જેવા મંચ પર આવ્યા, કેટલાક વિદ્યાર્થીઓએ થોડીવાર માટે મોદી-મોદીના નારા લગાવ્યા.
રાજ્યસભા સદસ્ય મનમોહન સિંહે ભારતમાં લોકતંત્રના મૂળ મજબૂત બનાવવા પર વ્યાખ્યાન આપ્યું. અહીં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું જેકેએલયૂ લોરેટ એવોર્ડ 2019થી સમ્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ઉદારીકરણની નીતિઓ મામલે કરવામાં આવેલા આર્થિક સુધારાઓને ચાલુ રાખવાની જરૂર બતાવતા શનિવારે કહ્યું કે એક સમજી વિચારી રણનીતિ બનાવીને જ ભારતને પાંચ હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવી શકાય છે. પૂર્વ વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે ગરીબી, સામાજિક અસમાનતા, સાંપ્રદાયિકતા અને ધાર્મિક કટ્ટરવાદ અને ભ્રષ્ટાચાર લોકતંત્ર સમક્ષ કેટલાક મુખ્ય પડકાર છે.
એમણે કહ્યું, 'આ સમયે આપણી અર્થવ્યવસ્થા ધીમી પડતી દેખાઇ રહી છે. જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડો આવી રહ્યો છે. રોકાણનો દર સ્થિર છે. ખેડૂત સંકટમાં છે. બેન્કિંગ પ્રણાલી સંકટનો સામનો કરી રહી છે. બેરોજગારી વધતી જઇ રહી છે. ભારતને પાંચ હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે આપણે એક સારી રણનીતિની જરૂર છે. એમણે સલાહ આપી કે સરકારે આતંકવાદ રોકવો જોઇએ, વિવિધ વિચારોની અવાજોનું સમ્માન કરવું જોઇએ અને સરકારના તમામ સ્તરે સંતુલન લાવવું જોઇએ.
એમણે કહ્યું, ' ઉદારીકરણની નીતિઓ પર ઉભા કરવામાં આવેલા આર્થિક સુધારાને ચાલુ રાખવા સમયની માંગ છે.' દેશમાં લોકતંત્રના મૂળ મજબૂત કરવાની વકાલત કરતા રાજસ્થાનથી રાજ્યસભા સદસ્ય મનમોહન સિંહે કહ્યું કે લોકતંત્રને મજબૂત કરવા માટે આવનારા સમયમાં સિદ્ધાંતવાદી, જ્ઞાની અને દુર્દર્શી નેતાઓની જરૂર છે. એમણે કહ્યું કે લોકતંત્રની શક્તિ બંધારણમાં નિહિત છે અને રાજકીય પાર્ટીઓએ બંધારણમાં ઉલ્લેખિત મૂલ્યોની રક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવી પડશે.
મનમોહન સિંહે કહ્યું કે આપણી એકતા બની રહે તેના માટે જરૂરી છે કે સરકાર ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની સાથે-સાથે એવુ વાતાવરણ આપે જે અલગ-અલગ વિચારોનું સમ્માન કરતું હોય. આપણે સંસદ અને તેની પ્રક્રિયાઓની સર્વોચ્ચતાનું સન્માન કરવું પડશે. જેકે લક્ષ્મીપત વિશ્વવિદ્યાલયમાં આ કાર્યક્રમમાં સિંહે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ, કેગ, CBI, સતર્કતા આયોગ, જેવી સંસ્થાઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે બંધારણના ઢાંચાની અંદર સ્વતંત્ર રૂપે કામ કરશે.