કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ બેરોજગારી મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પર બુધવારે નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યુ કે 'મોદી મીનાર (Modi Minar) ભ્રામક રીતે ઉપરથી તરફ વધી રહ્યો છે અને આ અક્ષમતાનું પ્રતિક છે.
રાહુલ ગાંધીએ ટવિટ કરી લખ્યું છે કે દરેક પસાર થઇ રહેલા મહીનાની સાથે મોદી મીનાર ગુમરાહ કરતા-કરતા ઝડપથી ઉપરની તરફ વધી રહ્યો છે. આ અક્ષમતાનું પ્રતિક છે. રાહુલ ગાંધીએ હેશટેગ 'મોદી મંદી અને મુસીબત' (#ModiMandiAurMusibat) નો ઉપયોગ કર્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલગાંધીએ (Rahul Gandhi) એ દેશમાં બેરોજગારીના દરનો એક ચાર્ટ પણ દર્શાવ્યો જેમાં સપ્ટેમ્બર મહીનામાં 7.16 ટકા અને ઓક્ટોબર મહીનામાં 8.5 ટકામાં બેરોજગારી ટકાવારીની સરખામણી કરવામાં આવી છે.
કોંગ્રેસ વધતી બેરોજગારી અને આર્થિક મંદીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને NDA સરકારને સતત ઘેરતી રહી છે.
ગત દિવસોમાં રાહુલ ગાંધીએ ટવિટ કરી ક્ષેત્રીય સમગ્ર આર્થિક સમજુતિ (RECP) ને લઇને કેન્દ્ર સરકાર પર હલ્લાબોલ કર્યું હતું. રાહુલ ગાંધીએ ટવિટરના માધ્યમથી લખ્યું હતું કે 'મેક ઇન ઇન્ડિયા' હવે 'બાય ફ્રોમ ચાઇના' (ચીનથી ખરીદો) થઇ ગયું છે.
With each passing month the Modi Minar races upwards at a breathtaking pace; a monument dedicated to incompetence.