કોંગ્રેસે પીએમ મોદી પર ગુજરાતમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમના પર 72 કલાકના પ્રતિબંધની માગ પણ કોંગ્રેસે કરી હતી. જો કે ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીનચીટ આપતા કહ્યું કે, પીએમ મોદીએ કોઈ પણ પ્રકારના ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કર્યો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે. કોંગ્રેસે પીએમ મોદી પર ગુજરાતમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમના પર 72 કલાકના પ્રતિબંધની માગ પણ કોંગ્રેસે કરી હતી. જો કે ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીનચીટ આપતા કહ્યું કે, પીએમ મોદીએ કોઈ પણ પ્રકારના ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતના ગાંધીનગરમાં મતદાન કર્યા બાદ પીએમ મોદીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, મોદીએ વોટ આપ્યા બાદ એક રોડ શો યોજ્યો હતો અને ભાષણ પણ આપ્યું હતુ. અમે ચૂંટણી પંચ સમક્ષ માગ કરી છે કે, પીએમ મોદી પર 48થી 72 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવે.
કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પીએમ મોદી પર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો અને અને આયોગને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યા હતો કે પીએમ મોદીએ મતદાન કર્યા બાદ પત્રકાર પરીષદ કરી આચરા સંહિતાનો ભંગ કર્યો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ જણાવ્યું હતું કે IED કરતાં આઇડી કાર્ડની તાકાત વધારે છે, વોટર આઇડીની તાકાત સમજો અને મોટી સંખ્યામાં મતદાન કરો.