ભાગદોડવાળી લાઈફમાં મોટાભાગે લોકો પરિવારને અને સાથે જ પરિવારના વડીલોને સમય આપી શકતા નથી. એવામાં તેઓ ઘરે એકલા રહી જાય છે. મોદી સરકારે આ વડીલોને મનોરંજન અને દેખરેખ મળી રહે તે માટે એક નવી પહેલ કરી છે. જેમાં NGOની મદદ પણ લેવાશે.
મોદી સરકારની નવી પહેલ
વૃદ્ધોની દેખરેખ માટે પણ લાવશે કાયદો
અનેક ડે કેર સેન્ટર મનોરંજન માટે શરૂ કરાશે
ઘરમાં એકલા રહેનારા વૃદ્ધોની દેખરેખ માટે સરકાર બિન સરકારી સંગઠનો (NGO)ની મદદ લેશે. આ જાણકારી સામાજિક ન્યાય અને કાયદા મંત્રી થાવરચંદ ગહેલોતે રાજ્યસભામાં આપી હતી.
આ હેતુથી બનાવાયો છે કાયદો
મંત્રી ગહેલોતે જણાવ્યું કે એકલા જીવન વ્યતિત કરી રહેલા વૃદ્ધોને માટે દિવસનો સમય મનોરંજન, અધ્યયન અને અન્ય કાર્યોને માટે પસાર કરવા માટે ડે કેર સેન્ટર શરૂ કરવાના હેતુથી કાયદો બનાવવામાં આવશે. આ કાયદામાં વૃદ્ધોની દેખરેખને માટે NGOની મદદ લેવાની યોજના પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
નવા કાયદા પર થઈ રહ્યો છે વિચાર
થાવરચંદ ગહેલોતે જણાવ્યું કે 2007માં એક કાયદામાં વૃદ્ધોની દેખરેખ માટેની જોગવાઈ છે. જો કે સરકાર એકલા રહેતા વૃદ્ધોની દેખરેખને માટે કાયદો બનાવવાનો વિચાર કરી રહી છે. તેઓ આ કાયદાના આધારે ડે કેર સેન્ટર ખોલશે. એકલા રહેતા વૃદ્ધો દિવસમાં મનોરંજન અને અધ્યયન કરી શકે અને તેમની પસંદનું જીવન જીવી શકે તે માટે આ કાયદો લાવવામાં આવશે.